SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ જૈન ધર્મને પરિચય - વિનયના ૭ પ્રકાર છે (૧) જ્ઞાનવિનયમાં જ્ઞાન- જ્ઞાનીની ૧. ભક્તિ, ૨. બહુમાન, ૩. સર્વજ્ઞકથિત પદાર્થનું સમ્યગ મનન. ૪. ગ– ઉપધાન આદિ જ્ઞાનાચારના પાલનપૂર્વક જ્ઞાનગ્રહણ, ને પ. એને અભ્યાસ( પુનરાવર્તનાદ),– એમ પાંચ પ્રકાર છે. (૨) દર્શનવિનચમાં સમ્યગ્દર્શન ગુણે અધિકની (1) શુશ્રુષા અને (૨) અનાશાતનાદિ આવે. (i) શુશ્રષાવિનય ૧૦ પ્રકારે :- ૧. સત્કાર (નમસ્કાર -આવકાર “પધાર'), ૨. અભ્યથાન (આસને ઊભા થવું), ૩. સન્માન (હાથમાંની વસ્તુ ઊંચકી લેવી વગેરે), ૪. આસન-પરિગ્રહ (એમનાં આસન વગેરે સંભાળી લેવા.) પ. આસનદાન, દ. વંદના, ૭. અંજલિ જોડવી, ૮. એ આવતી વખતે સામે લેવા જવું. ૯. બેઠા હોય ત્યારે ઉપાસના, અને ૧૦. જતી વખતે વળાવવા જવું. | (ii) અનાશાતનાદિ વિનય ૪૫ પ્રકારે : (૧) તીર્થકર, (૨) ધર્મ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) વય-શ્રુત-પર્યાયથી સ્થવિર, (૬) કુળ (એક આચાર્યની સંતતિ), (૭) ગણ (અનેક કુલસમૂહ), (૮) સંઘ (અનેક ગણુસમૂહ), (૯) સાંગિક (જેમની સાથે ગોચરી વગેરે વ્યવહાર ચાલતું હોય તેવા સાધુ), (૧૦) કિયા (પરલેક છે, આત્મા છે વગેરે પ્રરૂપણા), અને (૧૧-૧૫) મતિજ્ઞાનાદિ પાંચ – એમ અંદરની (૧) આશાતનાને ત્યાગ, (૨) ભક્તિબહુમાન તથા (૩) અદૂભુત ગુણ પ્રશંસા દ્વારા યશવૃદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy