________________
સંવર
૨૩૧
ભાવનાઓ વારંવાર કરવાની. તે તે પ્રસંગે તેવી તેવી ભાવના ઝળકાવવાની. આને અનુપ્રેક્ષા પણ કહે છે.
૫ ચારિત્ર ક ૧. સામાયિક - પ્રતિજ્ઞાપૂર્વક સર્વસાવદ્ય પ્રવૃત્તિને જીવનભર ત્યાગ અને પંચાચાર–પાલન દ્વારા સમભાવમાં રમણતા.
- ૨. છેદેપસ્થાપનીય – સડેલા અંગની જેમ દૂષિત પૂર્વચારિત્ર-પર્યાયના છેદપૂર્વક અહિંસાદિ મહાવ્રતમાં સ્થાપન, મહાવતારોપણ
૩. પરિહાર-વિશુદ્ધિ - નવ સાધુથી ત્રણ વિભાગે ૧૮ માસ સુધી વહન કરાતા પરિહાર વિશુદ્ધિ નામના તપમાં પળાતું ઉત્કૃષ્ટ ચારિત્ર.
૪. સૂક્ષ્મ-સંપાચ - ૧૦ મા ગુણસ્થાનકનું અંતિમ અલ્પ રાગવાળું ચારિત્ર. ૫. યથાખ્યાત - વીતરાગ મહર્ષિનું ચારિત્ર.
છે. પંચાચાર: ૯ સાધુજીવનમાં જેમ અહિંસાદિ મહાવત એ નિવૃત્તિમાર્ગ છે, એમ જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે પંચાચારનું પાલન એ પ્રવૃત્તિમાર્ગ છે. તે આ - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચારનું પાલન. એથી આત્માના જ્ઞાન-દર્શન-ચરિત્ર અને તપગુણ તથા સત્ત્વ વિકસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org