________________
સંવર
२२८
ગમન વખતે અશરણ-અનાથ જીવને ધન, કુટુંબ વગેરે કઈ જ બચાવનાર નથીએમ વિચારી શરણભૂત ધર્મને જ વળગે.
(૩) સંસાર : - “ભવચક્રમાં માતા પત્ની થાય છે, પત્ની માતા થાય છે! શત્રુ મિત્ર થાય છે! મિત્ર શત્રુ થાય છે ! કે બેહંદ સંસાર! ત્યાં મમતા શી? અહે જન્મજરા-મૃત્યુ, રોગ-શેક, વધ-બંધ, ઈષ્ટ–અનિષ્ટ વગેરેથી દુઃખભર્યો સંસાર!” એમ વૈરાગ્ય વધારે.
(૪) એકવ:- “હું એકલું છું. એકલે જન્મ-મરૂં છું, એકલે રેગી–દુઃખી થાઉં છું, મારા જ ઉપારેલાં કર્મના ફળ મારે એકલાને જ ભેગ્ય છે. તે હવે સાવધાન બની રાગદ્વેષ ટાળી નિઃસંગ બનું.'
(૫) અન્યત્ર :- “અનિત્ય-અબુઝ-(જડ) પ્રત્યક્ષ શરીર જુદું છે, નિત્ય-સજ્ઞાન–અદશ્ય હું આત્મા તદ્દન જુદો છું. ધન કુટુંબ વગેરે ય મારાથી તદ્દન જુદા છે.” એમ ભાવીને એ બધાની મમતા મૂકે.
(૬) અશુચિત્ર:- “આ શરીર ગંદા પદાર્થમાં પેદા થયું, ગંદાથી પોષાયું, વર્તમાનમાં ય અંદર બધે ગંદુ છે. અને વધારામાં ખાનપાન વિલેપનને ગંદુ કરનારું છે. એને મેહ છોડી દમન-ત્યાગ-તપ સાધી લઉં. – વિચારી કાયાને કસ ખેંચે.
(૭) આશ્રવ :- આમાં એકેક આશ્રવના કેવા અનર્થ છે તે વિચારે અને ભાવે કે, “જેમ નદી ઘાસને, તેમ ઈન્દ્રિયાદિ આશ્રવ જીવને ઊન્માર્ગે અને દુર્ગતિમાં તાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org