________________
२०४
જૈન ધર્મને પરિચય એમાં (i) સૂવે, સ્તુતિ-સ્તવન, વગેરે બોલતી વખતે બે કોણ પેટ પર રાખી બે હાથ-હથેલી એવી રીતે સહેજ પિલી જેવી કે એકેક આંગળીના ટેરવાની પછી સામી આંગળીનું ટેરવું આવે, એમ ૧૦ ટેરવાં કમસર ગોઠવાય, એ “ગમુદ્રા” કહેવાય. બધાં સૂત્ર-સ્તુતિ હાથ જોડી આ મુદ્રાથી જ બેલાય.
(i) “જાવંતિ ચેઈઆઈ,” “જાવંત કેવિ સાહૂ અને “જયવીયરાય” સૂત્ર વખતે ટેરવાં સામસામા આવે, તથા વચમાં મોતીની છીપની જેમ પિલી રહે, એ રીતે હથેલી જોડવી, એ મુકતા મુક્તિ-મુદ્રા” કહેવાય.
અને (ii) કાત્સર્ગ વખતે ઊભા રહી બે પગની વચમાં આગળ ૪ આંગળ અને પાછળ એથી ન્યુન જો રહે, હાથ લટકતા રહે, અને દૃષ્ટિ નાસિકા–અ રહે, એ જિનમુદ્રા” કહેવાય.
૧૦. પ્રણિધાન ૩- અર્થાત્ ઈન્દ્રિયે સહિત કાયા, વચન અને મનને બીજા ત્રીજા વર્તાવ, વાણી કે વિચારમાં ન જવા દેતાં પ્રસ્તુત રમૈત્યવંદનમાં બરાબર એકાગ્રપણે સ્થાપવા અને ચૈત્યવંદન કરવું. * પૂજામાં સાવધાનીઃ
(૧) “જિનપડિમા જિન–સારિખી”—અરિહતની મૂર્તિને આ સાક્ષાત્ ભગવાન છે” એમ સમજવાનું. તેથી ધાતુના બિંબ એક સ્થાનેથી બીજે લેવા હોય તે બહુમાનપૂર્વક બે હાથે ઝાલીને લેવાય.... વગેરે, મોટા ચક્રવર્તીની જેમ પ્રભુને વિનય કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org