________________
જિનભક્તિ અને ગુરુવંદના
૨૦૧
જન્માવસ્થા :- “હે નાથ! આપે પૂર્વના ત્રીજે ભવે ૨૦ સ્થાનક-સર્વજીવ ભાવકરુણ-વિશુદ્ધ સમ્યકત્વ આરાધ્યું. અહીં તીર્થંકરના ભવમાં જન્મ પામ્યા ત્યારે ૫૬ દિકુમારીઓ ને ૬૪ ઇંદ્રોએ આપને જન્માભિષેક ઉત્સવ ઊજ! જન્મ વખતે પણ આ કે આપનો મહિમા ! છતાં પ્રભુ! આપે લેશ માત્ર ત્કર્ષ અભિમાન ન આયું! ધન્ય લઘુતા ! ધન્ય ગાંભીર્ય !”
રાજ્યાવસ્થા:- “હે તારક દેવ! આપને મોટમોટી રાજ્યસંપત્તિ રાજસિદ્ધિ મળી; છતાં આપ એમાં જરા ય રાગ-દ્વેષથી લેપાયા નહિ; અનાસક્ત યોગી જેવા રહ્યા. ધન્ય વૈરાગ્ય !'
શ્રમણવસ્થા :-- “હે વીર પ્રભુ! મેટે વૈભવી સંસાર તૃષ્ણવત્ ફગાવી દઈ કર્મક્ષય અને આત્મકલ્યાણ અર્થે આપે સાધુજીવન સ્વીકારીને ઘોર પરીસહુ અને ઉપસર્ગ સમતાભાવે સહ્યા! સાથે અતુલ ત્યાગ તથા કઠોર તપસ્યા કરી! અને રાતદિ ખડે પગે ધ્યાન ધર્યા! એમ કરી ઘનઘાતી કર્મનાં ભુક્કા ઉડાવ્યા! ધન્ય સાધના ! ધન્ય પરાકમ! ધન્ય સહિષ્ણુતા !
(i) પદસ્થ અવસ્થા એટલે કે તીર્થંકરપદ ભોગવવાની અવસ્થા. એને અંગે એ ભાવવાનું કે- “હે. નાથ ! આપે કેવા ૩૪ અતિશય ધારી અરિહંત તીર્થકર બની (૧) ૩૫ વાણીગુણે ભરી તત્ત્વ-માર્ગ-સિદ્ધાન્તની ધર્મદેશના રેલાવી! તથા (૨) તીર્થ–ચતુર્વિધ સંઘ અને ધર્મશાસન સ્થાપી, તેમજ (3) દર્શન-સ્મરણ-પૂજા–ધ્યાનાદિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org