________________
જિનભક્તિ અને ગુરુવંદના
૧૯ તો ભગવાન સિવાયની બીજી દિશા જેવાને ત્યાર પછી (૭) બેસવાની જમીન પર જીવજંતુ ન મરે માટે ખેસના છેડાથી પ્રમાર્જન; પછી (૮) ચિત્તનાં ૩ આલંબન સૂત્ર-અર્થ–પ્રતિમા નક્કી કરવાનાં; પછી (૯) સમન્ આસન માટે હાથ વગેરેની મુદ્રા જવાની; (૧૦) પ્રણિધાન યાને એકાગ્રતા જમાવવાની, અને ત્યવંદન કરવાનું. આ દરેક ૩-૩ સાચવવાના.
૧૦ત્રિકની સમજ:- નિસાહિ વગેરે ૧૦ વસ્તુ દરેક ત્રણ-ત્રણ છે. (૧) નિશીહિ (=નિષેધ)૩,- પહેલી, મંદિરમાં પેસતાં સંસારવ્યાપાર છેડવા માટે કહેવાની. બીજી નિશીહિ ગભારામાં પિસતી વખતે મંદિરના કાર્ય સાફસુફીસલાટકાર્ય વગેરેની ભાળ-ભલામણ હવે ન કરવા માટે કહેવાની અને ત્રીજી નિસાહિ ચૈત્યવંદન પહેલાં હવે દ્રવ્યપૂજાનું ધ્યાન બંધ કરવા માટે કહેવાની; કેમકે હવે ચૈત્યવંદન એટલે કે ભાવપૂજામાં મન રાખવાનું છે.
(૨) પ્રદક્ષિણું ૩,- સારી વસ્તુને હંમેશાં આપણી જમણી બાજુ રખાય; એટલે વીતરાગ પ્રભુજીના જમણેથી ડાબે ચારે બાજુ ત્રણ વાર ફરવાનું; જેથી વીતરાગ બનાય, ભવભ્રમણ ભાગે; કેમકે એમાં મનમાં વીતરાગને ગુંજારવ રહે છે.
વીતરાગની આસપાસ પ્રભુનાં સ્તોત્ર યા નામ સાથે ઘુમવાથી મગજમાં વીતરાગતાનું ધ્યાન ગુંજે, વીતરાગતા ઉપર ભાવ ઊભું થાય. પ્રદક્ષિણા ત્રણ એટલા માટે કે ભવરોગ મિટાવનાર ઔષધ ત્રણ,-દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રાપ્ત થાય. ફરતી વખતે જાણે સમવસરણને પ્રદક્ષિણા દઈએ છીએ એવી ભાવના કરવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org