________________
૧૮૮
જૈન ધર્મને પરિચય
અથવા ભસ્મ હોય છે જેને અનાહારી દ્રવ્ય કહેવાય છે અને તે રેગ–પીડાના ખાસ કારણે પચ્ચક્ખાણના કાળમાં ખપે છે; પરંતુ તેની સાથે જે પાછું લેવાય તે આહારરૂપ બની જાય! માટે પચ્ચકખાણમાં રહી પાણી વિના એ એકલા જ લેવાય છે.
એવી અનાહારી વસ્તુમાં ફટકડી, પાનની જડ, કસ્તુરી, અંબર, ઝેરી ગોટલી, અતિવિષ, અફીણ, સેનામુખી, એળિયે, વખળે, કડુ, કરિયાતુ, ઈદ્રજવ, કડવે લીમડે, વગેરે અત્યંત કડવાં દ્રવ્ય, ત્રિફળા, રાખ, ભરમે વગેરે ગણાય છે. આહારનાં પચ્ચખાણ ચાર રીતે- ૧. દિવસનાં, ૨. રાત્રિનાં તથા ૩. અમુક સંકેતથી યા ઉપદ્રવાદિ પ્રસંગે અને જ. અંતકાળે જીવે ત્યાં સુધીનું-એમ લેવાના હોય છે.
(૧) દિવસનાં પચ્ચકખાણમાં સૂર્યોદયથી બે ઘડી સુધી ચારે પ્રકારના આહારને ત્યાગ રાખવા નવકારશી પચ્ચખાણ કરવામાં આવે છે. સૂર્યોદયથી એક પ્રહર (૧/૪ દિનમાન) સુધીને આહારત્યાગ પિરસિ પચ્ચખાણથી થાય છે. સાદ્ધ–પિરસિ પચ્ચક્ખાણમાં આ પ્રહર, પુરિમુઠ્ઠમાં ૨ પ્રહર (ા દિવસ) અવઠ્ઠમાં ૩ પ્રહર સુધી ચારે આહારને ત્યાગ રહે છે. આ પચ્ચખાણ પૂર્ણ થયે મૂડી વાળી નમસ્કાર ગણીને જ ખાવા પીવાનું કરાય છે, કેમકે એ પચ્ચકખાણ સાથે “મુહિંસદિય’ પચ્ચક્ખાણ હોય છે. મુફ્રિસહિયં એટલે જ્યાં સુધી મુદ્વિ વાળી નવકાર ન ગણું ત્યાં સુધી ચાર આહારનો ત્યાગ. દિવસમાં વારંવાર એકલું આ મુસિહિયં પચ્ચખાણ કરવાથી ય અનશનને બહુ લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org