________________
વ્રત–નિયમ
૧૮૭
પાપ-ત્યાગ નિશ્ચિત બનવાથી શુભ ભાવ અને શુભ પ્રવૃત્તિના દ્વાર ખુલ્લા થાય છે, એને સારે અવકાશ મળે છે. જૈનદર્શનમાં જ “વિરતિ નું મહત્વ મળે છે.
નિયમમાં અહીં ત્રણ પ્રકાર જઈશું,- ૧. પચ્ચકખાણ ૨. ચૌઢ નિયમ તથા ૩. ચાતુર્માસિક અને જીવનના નિયમો.
૧. પચ્ચકખાણ- દિવસ અને રાત્રિના આહારના અન્ત–પાણીના ત્યાગના જુદા જુદા નિયમ, એ અહીં પચ્ચક્ખાણ સમજવાના છે. જીવને આહારની સંજ્ઞા યાને લત અનાદિ કાળથી લાગુ છે. એ એવી બંધી છે કે ધ્યાન ન રાખે તે ઉપવાસના પચ્ચખાણુમાં રહ્યું પણ એના વિચાર આવે છે. આહારસંજ્ઞાથી (૧) જન્મે ત્યાં પહેલી વાત ખાવાની! અને (૨ આહાર સંજ્ઞાના વિચારમાં કેટલાય ધર્મસ્થાન તથા ત્યાગ-તપ ચૂકી જવાય છે. માટે એના પર કાપ મૂકતા રહેવું જોઈએ. તે ધર્મ-આરાધના સ્થિરતાથી થાય. અને આગળ વધતાં અંતે આત્માને સ્વભાવ અનાહારીપણું” પ્રગટ થાય.
આહાર ચાર પ્રકાર છે – અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. (૧) અશનમાં જેનાથી પેટ ભરાય તે આવે; દા. ત. અન્ન, મિઠાઈ, દૂધ, દહીં વગેરે.... (૨) પાનમાં પાણી આવે. (૩) ખાદિમમાં ફળ, પક, ફરસાણ, શેકેલું, ભુજેવું આવે. (૪) સ્વાદિમમાં મુખવાસ, મસાલા, ઔષધિ આવે. આને અનેક રીતે ત્યાગ કરાય છે. - આ ચાર સિવાય કેટલીક કડવી યા બેસ્વાદ ઔષધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org