________________
૧૮૨
જૈન ધર્મને પરિચય
૪ ઘાતી + ૪ અઘાતી = ૮ કર્મના ક્ષયથી ૮ ગુણ હોય છે; છતાં અરિહંત પ્રથમ પદે અને સિદ્ધ બીજે પદે એટલા માટે છે કે શ્રી અરિહંતના ઉપદેશથી જ બીજા પણ ભવ્ય છ મેક્ષમાર્ગની આરાધના કરી સર્વકર્મ ક્ષય કરીને સિદ્ધ થાય છે. આથી સૌથી મોટે ઉપકારી તેમને પંચપરમેષ્ઠી પદમાં પ્રથમ પદે બિરાજિત કર્યા છે.
૨. સિદ્ધ બીજા પરમેષ્ઠી છે. સિદ્ધ એટલે કર્મથી મુક્ત, સંસારથી મુક્ત શુદ્ધ આત્મા. અરિહંત ન થઈ શકે એવા આત્મા પણ અરિહંતને ઉપદેશાનુસાર મેક્ષમાર્ગની સાધના કરી આઠે ય કર્મોનો નાશ કરીને મેશ પામે છે. એ પછી તે તદ્દન શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિર્વિકાર, નિરાકાર સ્થિતિ પ્રાપ્ત કરીને લેકના મથાળે સિદ્ધશિલા પર શાશ્વત કાળ માટે સ્થિર થાય છે. એમને સિદ્ધ પરમાત્મા કહે છે. આવા સિદ્ધ પરમાત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગતા, અનંત લબ્ધિ, અવ્યાબાધ અનંત સુખ અક્ષય અજર અમર સ્થિતિ, અરૂપિપણું ને અગુરુલઘુતા એમ ૮ કર્મના નાશથી ૮ ગુણ હોય છે.
૩આચાર્ય ત્રીજા પરમેષ્ઠી છે, એ અરિહંત પ્રભુની ગેરહાજરીમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સંઘના અગ્રણી હોય છે. એ ઘરવાસ અને સંસારની મોહમાયાના સર્વબંધન ત્યજી દઈ મુનિ બનીને અરિહંતે કહેલા મોક્ષમાર્ગની સાધના કરી રહ્યા હોય છે, તથા જિનાગમતું અધ્યયન કરવાપૂર્વક એ વિશિષ્ટ ગ્યતા પ્રાપ્ત કરી ગુરુ પાસેથી આચાર્યપદ પામેલા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org