________________
શ્રાવકની દિનચર્યા અને પર્વકૃ
૧૭પ બે ઘડી પહેલાં (યા છેવટે સૂર્યાસ્ત પહેલાં) પાણી વાપરી લઈ રાત્રિભૂજન-ત્યાગ રૂપ ચેવિહાર પચ્ચક્ખાણ થઈ જાય.
સાંજે અને રાત્રે - પછી જિનમંદિરે ધુપ, આરતિ, મંગળદી, ચૈત્યવંદન કરવું. પછી સાંજનું પ્રતિકમણ, એ ન બને તે સ્વાત્મનિરીક્ષણ, પાપગહ, શાંતિપાઠ કરી ગુરુમહારાજની સેવા ઉપાસના કરવી. ઘરે આવી કુટુંબને ધર્મશા, રાસ કે તીર્થકર ભગવાન વગેરે મહાપુરુષનાં ચરિત્ર સંભળાવવા, પછી પોતે કાંઈક ને કાંઈક નવું અધ્યયન કરી તત્ત્વજ્ઞાન વધારવું, પછીથી અનિત્ય અશરણ વગેરે ભાવના ભાવવી.
સ્થૂલભદ્ર, સુદર્શન શેઠ, જંબૂકુમાર, વિજયશેઠ-વિજ્યા શેઠાણ વગેરેના બ્રહ્મચર્યના પરાક્રમ યાદ કરવા. અનંત સંસારમાં ભટકાવનારી અને કદી તૃપ્ત નહિ થનારી કામવાસનાની જુગુપ્સા ચિંતવવી, ઊંઘ આવે ત્યારે નવકારમંત્ર સ્મરણ કરી સૂઈ જવું અને સૂતાં સૂતાં તીર્થોની યાત્રાનું વિસ્તારથી સ્મરણ કરવું. ઊંધ્યા પછી વચમાં જાગી જવાય ત્યારે આ ૧૦ મુદ્દા પર ચિંતવના કરી સંવેગ વધારવા :
૧. સૂમ પદાર્થ, ૨. ભવસ્થિતિ, ૩. અધિકરણશમન, ૪. આયુષ્યહાની, ૫. અનુચિતચેષ્ટા, ૬. ક્ષણલાભદીપન, ૭. ધર્મગુણે, ૮. બાધકોષવિપક્ષ, ૯. ધર્માચાર્ય અને ૧૦. ઉદ્યત વિહાર. (સંવેગ એટલે દાનાદિ–ક્ષમાદિ ધર્મને રંગ, મેક્ષતમન્ના, વૈરાગ્ય દેવ-ગુરુ-સંઘ-શાસ્ત્રભક્તિ.) ને આ રીતે વિચારવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org