SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચર્યા અને પર્વકૃ ૧૭પ બે ઘડી પહેલાં (યા છેવટે સૂર્યાસ્ત પહેલાં) પાણી વાપરી લઈ રાત્રિભૂજન-ત્યાગ રૂપ ચેવિહાર પચ્ચક્ખાણ થઈ જાય. સાંજે અને રાત્રે - પછી જિનમંદિરે ધુપ, આરતિ, મંગળદી, ચૈત્યવંદન કરવું. પછી સાંજનું પ્રતિકમણ, એ ન બને તે સ્વાત્મનિરીક્ષણ, પાપગહ, શાંતિપાઠ કરી ગુરુમહારાજની સેવા ઉપાસના કરવી. ઘરે આવી કુટુંબને ધર્મશા, રાસ કે તીર્થકર ભગવાન વગેરે મહાપુરુષનાં ચરિત્ર સંભળાવવા, પછી પોતે કાંઈક ને કાંઈક નવું અધ્યયન કરી તત્ત્વજ્ઞાન વધારવું, પછીથી અનિત્ય અશરણ વગેરે ભાવના ભાવવી. સ્થૂલભદ્ર, સુદર્શન શેઠ, જંબૂકુમાર, વિજયશેઠ-વિજ્યા શેઠાણ વગેરેના બ્રહ્મચર્યના પરાક્રમ યાદ કરવા. અનંત સંસારમાં ભટકાવનારી અને કદી તૃપ્ત નહિ થનારી કામવાસનાની જુગુપ્સા ચિંતવવી, ઊંઘ આવે ત્યારે નવકારમંત્ર સ્મરણ કરી સૂઈ જવું અને સૂતાં સૂતાં તીર્થોની યાત્રાનું વિસ્તારથી સ્મરણ કરવું. ઊંધ્યા પછી વચમાં જાગી જવાય ત્યારે આ ૧૦ મુદ્દા પર ચિંતવના કરી સંવેગ વધારવા : ૧. સૂમ પદાર્થ, ૨. ભવસ્થિતિ, ૩. અધિકરણશમન, ૪. આયુષ્યહાની, ૫. અનુચિતચેષ્ટા, ૬. ક્ષણલાભદીપન, ૭. ધર્મગુણે, ૮. બાધકોષવિપક્ષ, ૯. ધર્માચાર્ય અને ૧૦. ઉદ્યત વિહાર. (સંવેગ એટલે દાનાદિ–ક્ષમાદિ ધર્મને રંગ, મેક્ષતમન્ના, વૈરાગ્ય દેવ-ગુરુ-સંઘ-શાસ્ત્રભક્તિ.) ને આ રીતે વિચારવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy