________________
૧૬૨
જૈન ધર્મને પરિચય
વથુલે શુકરવાલ, શક્કરિયાં, પાલખની ભાજી, રતાળું ડુંગળી, કુણી આંબલી, કાતરા, લીલી હળદર, લીલું આદુ, જોષાતકી, કેરડે, હિંદુક, ગોટલી ન બાઝી હોય તેવાં કમળફળ, બટાટા (આલુ) વગેરે અનંતકાય છે. * ૧૫ કર્માદાનઃ
શ્રાવકે મહારંભના કે મહાપાપના ધંધા નહિ કરવા જોઈએ. દા. ત. ૫ કર્મ+ ૫ વાણિજ્ય + ૫ સામાન્ય એમ ૧૫ કર્માદાનના ધંધા, એમાં–
૫ કમઃ - (૧) અંગારકર્મ– લુહાર, નાર, કુંભાર, ભાડભૂંજા, હોટલ, વીશી વગેરેના ધંધા. [૨] વનકર્મ-વન કપાવવા, વાડી-બગીચા વગેરેના ધંધા. [૩] શટકકર્મ—ગાડાં-ગાડી-મેટર બનાવવાના ધંધા. [૪] ભાટકકમ–ગાડા–મોટર વગેરે ભાડે આપવાના ધંધા [૫] સ્ફટિકકમ–જમીન, ખાણુ વગેરેને ફેલાવવાના ધંધા.
૫ વાણિજ્ય :- [૧] હાથી વગેરેને મારીને દાંત, પીંછા, કેશ વગેરે જ્યાં ઉત્પન્ન થાય ત્યાંથી તે ખરીદી વેચવાના ધંધા. [૨ લાખ, રાળ, દારૂખાનું, કોલસા, બળતણ વગેરેને વેપાર. [૩] મધ, ઘી, તેલ વગેરે રસને વેપાર. [૪] મનુષ્ય-પશુ વગેરેને વેપાર. [૫] સમલ, વછનાગ, તેજાબ વગેરેને વેપાર.
૫ સામાન્ય :- [૧] યંત્રપલણઃ જિન, ખાંડણિયા, ઘંટી, યંત્ર વગેરેથી અનાજ, બીયાં, કપાસ વગેરે ખાંડવા, પીસવાં, લેઢવાના ધંધા. [૨] નિલછન કર્મઃ જીવન ગાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org