________________
દેશવિરતિ : બારવ્રત
૧૫૭
૧૦ મું વ્રત ઃ દેશાવકાશિક :
આમાં મુખ્યતયા અમુક સ્થાન નક્કી કરી એટલાથી બહાર જવું નહિ અને બહાર સાથે કંઈ વ્યવહાર કરે નહિ. અને એમાં ધર્મધ્યાનમાં રહેવું એની વા-ળા-૧.... કલાક યા સૂર્યાસ્ત કે સૂર્યોદય સુધી વગેરે અમુક સમય માટે પ્રતિજ્ઞા હોય છે. એમાં બીજા વ્રતની મર્યાદાને સંક્ષેપ કરાય છે. આને લાભ અપરંપાર. ચાલુ પ્રણાલિકામાં એવી પ્રતિજ્ઞા કરાય છે કે “ઓછામાં ઓછું એકાશનને તપ રાખી દિવસ ભરમાં બે પ્રતિક્રમણ તથા આઠ સામાયિક કરવાનું દેશાવકાશિક વ્રત વર્ષમાં અમુક સંખ્યામાં કરીશ.” અલબત આ વ્રતના મર્મને પાળવા માટે એ સામાયિકમાંથી બચેલા સમયમાં સાંસારિક પ્રવૃત્તિઓ ન કરતાં જ્ઞાન-ધ્યાન વગેરે ધર્મપ્રવૃત્તિમાં દિવસ પસાર કરે હિતાવહ છે.
આ વ્રતના યથાર્થ પાલન માટે નક્કી કરેલી મર્યાદા બહારથી કેઈને ન બોલાવ કે બહાર ન મોકલ, વગેરે સાવધાની રાખવી. ૧૧ મું વ્રતઃ પિષધ :
પિષધ એટલે ધર્મને પિષે તે. એમાં દિવસ, રાત્રિ કે આહેરાત્રિ માટે પૂર્ણ સામાયિક સાથે (1) આહાર (ii) શરીર–સત્કાર તથા () વ્યાપારના ત્યાગની અને (iv) બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરીને આવશ્યક ક્રિયાઓ તેમજ જ્ઞાનધ્યાનમાં રક્ત રહેવાનું. આ આંતર ધર્મને પિષે છે, માટે પિષધ કહેવાય છે. આમાં સમિતિ-ગુપ્તિ(જે આગળ સંવર પ્રકરણમાં કહેવાશે તેનું પાલન કરવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org