________________
દેશવિરતિ : બારવ્રત
૧૫૫
હાયય કરી કે દુઃખની પીડાથી રોગનાશ-વૈદ્ય, દવાઅનુપાનાદિની ચિંતા કરી (4) પિદુગલિક પદાર્થોની ભારે આશંસા કરી. તે એ આર્તધ્યાન થયું. તેમજ હિંસા, જૂઠ, ચેરી અને સંરક્ષણનું ઘર ધ્યાન એ રૌદ્રધ્યાન. એ દુર્થાન ન સેવવા.
(૨) અધિકરણ એટલે ઘટી, અગ્નિ, હળ, ચાકુ, ધકા, સ્ટવ, ફેન, વગેરે જીવઘાતક શસ્ત્ર, કે ખાંડણી, પરાળ, મુશળ, લાકડી, સાબુ, અગ્નિ, કેરોસીન વગેરે પાપનાં સાધન એમ વિષય સાધન, એ બીજાને દેવાં નહિ.
(૩) પાપપદેશ એટલે કલેશ, કલહ, પાપના ધંધા, ને હિંસા થાય એવા કામની સલાહ તથા હિંસા-જૂઠ-ચેરી વગેરેની સલાહ આપવી નહિ. એમ કાત્પાદક વચન, મોહચેષ્ટા, વાચાળતા અતિ કે ઊદુભટ ભેગ વગેરે આચરવા નહિ.
(૪) પ્રમાદાચરણમાં– સિનેમા, ટી.વી. વાડિયા, નાટક, ખેલ તમાશા શૃંગારી ચિત્ર, પ્રદર્શન, લડાઈમોટી ક્રિકેટ વગેરે રમત ન જોવાની અને પત્તાબાજી વગેરે ન ખેલવાની પ્રતિજ્ઞા. સર્વથા શક્ય ન હોય તે અમુક પ્રમાણથી વધુ ન જેવાની પ્રતિજ્ઞા. ફાંસી, પશુ-લડાઈ, મલ્લ-કુસ્તી વગેરે જીવઘાતક પ્રસંગે ન જેવાની પ્રતિજ્ઞા. એમ શેખ માટે પોપટ, કુતરા વગેરે ન પાળવા, વિલાસી નેવેલ, છાપા વગેરે ન વાંચવા, તથા નદી, તળાવ, વાવ વગેરેમાં શોખના સ્નાન ન કરવાની પ્રતિજ્ઞા. એવી બીજી પણ બિનજરૂરી બાબતે તજવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org