SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન ધર્મને પરિચય આ વ્રતમાં ૨૨ અભક્ષ્ય-૩૨ અનંતકાયને ત્યાગ કરવાને છે; એમ ૧૫ કર્માદાન ત્યજવાના છે (આની સમજ પછીના પ્રકરણમાં વિચારીશું). સાતમા વ્રતમાં ધાન્ય શાકભાજી, ફળ, મેવા, મસાલા વગેરેનાં જરૂરી નામ નંધી લઈ જીવનભર માટે તે સિવાયનું નહિ વાપરવાને નિયમ કરાય છે. એમાં આગળ “વ્રત નિયમના પ્રકરણમાં બતાવાશે તે ચૌદ નિયમનું જીવનભર માટે પ્રમાણે નક્કી કરવામાં આવે છે. દા. ત. આજીવન રોજ ૨૦ દ્રવ્યથી અધિક નહિ વાપરું.” પછી રેજ એટલા યા એથી ઓછાં ધરાય છે. ૮ મું વ્રત અનર્થદંડ વિરમણ વ્રતઃ જીવન જીવવામાં બિનજરૂરી વસ્તુને ત્યાગ કરે; નહિતર એથી અનર્થ = નિષ્પાજન દંડ લાગે. અનર્થ તરીકે ચાર વસ્તુ છે– ૧. દુર્ગાન, ૨. અધિકરણ (પાપના સાધન)નું પ્રદાન, ૩. પાપપદેશ અને ૪. પ્રમાદાચરણ. આમાં પહેલા ત્રણને તે બરાબર જાગૃતિ રાખીને અર્થાત્ ભૂલ થાય તે દંડ ભરવાનું રાખીને અને ચોથાને પ્રતિજ્ઞા રાખીને આચરવા નહિ. દા. ત. (૧) દુર્યાનમાં (૧) મનગમતી વાત કે ચીજ મળી કે મળે એના પર બહુ હર્ષ ઉન્માદનું ચિંતન કર્યું; અથવા એ ટકે, ન જાઓ એવું ચિંતન, (૨) અણગમતી આવી એ ટળે યા ન આવે એના પર બહુ ઉદ્વેગનું ચિંતન કર્યું, (૩) રેગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy