________________
સમ્યગ્દર્શન
૧૪૫
૬ ભાવના - સમ્યકત્વને ટકાવવા માટે એને મૂલં–દાર–પઈડ્રાણું, આહાર-ભાયણું-નિડી, – એ છે ભાવના આપવી જોઈએ. દા. ત. સમ્યફવ એ બારવ્રતરૂપી શ્રાવક ધર્મનું મૂળ છે, દ્વાર છે, પાયે છે, આધાર છે, ભાજન (પાત્ર) છે, ભંડાર (તિજોરી) છે. સમ્યકત્વ-મૂળ સલામત વિના ધર્મવૃક્ષ સુકાઈ જાય: સમ્યક્ત્વરૂપી દરવાજા વિના દાનાદિ ધર્મનગરમાં પ્રવેશ ન થઈ શકે. સમ્યકત્વના સાર પાયા વિના વ્રતાદિ ધર્મઈમારત ન ટકે, કે ન ઊંચી કરાય. સમક્તિરૂપી પૃથ્વી–આધાર ઉપર જ ધર્મ-જગત્ ઊભું રહે છે. સિંહણનું દૂધ જેમ સુવર્ણપાત્રમાં જ ટકે, તેમ વ્રત-અનુષ્ઠાન-દાનાદિ આંતરિક ધર્મઅંગ એ સમ્યગ્દર્શનરૂપી પાત્રમાં જ ટકે છે. મણિ-માણેક-મોતી જેમ ભંડારમાં સુરક્ષિત રહે છે, તેમ દાનાદિધર્મ સમક્તિરૂપી તિજોરીમાં જ સુરક્ષિત રહે છે. એ પ્રમાણે વ્રતધર્મ માટે સમ્યક્ત્વ પહેલું જરૂરી છે, એ ભાવવું.
સ્થાન: સભ્યત્વને રહેવા માટે છ સ્થાન છે. તેને વિચારીને મનમાં એ સ્થાન નક્કી રાખ્યા હોય, તે જ સમ્યક્ત્વ રહી શકે. (૧) આત્મા દેહથી ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય છે. (૨) એ નિત્ય છે, સનાતન છે, કોઈએ બના નથી, ને ક્યારે ય પણ નાશ પામતે નથી. (૩) આત્મા કર્મને કર્તા છે. મિથ્યાત્વાદિ કારણે કર્મ ઉપજે છે. (૪) વળી એ
પાર્જિત કર્મને ભક્તા છે, પિતાને પિતાનાં કર્મ ભોગવવાં પડે છે. (૫) આત્માને મેક્ષ પણ થઈ શકે છે. સંસાર અનાદિ કાળથી ચાલ્યા આવે છે માટે એને અંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org