________________
૧૪૨
જૈન ધર્મને પરિચય
(૪) અનુકંપા : શક્યતાનુસાર દુઃખીને દુઃખ ટાળવાની દયા, અને બાકી પ્રત્યે પણ દિલમાં આદ્રતા. દુઃખી બે જાતના (૧) દ્રવ્યથી દુઃખી એટલે ભૂખ-તરસ, રોગ, માર, અપમાન વગેરેથી પીડાતા, ને (૨) ભાવથી દુઃખી એટલે પાપ, દેષ, ભૂલ, અધર્મ, કષાય... વગેરેથી પીડિત, એ બંને પર દયા એ અનુકંપા.
(૫) આસ્તિક્ય એટલે એવી અટલ શ્રદ્ધા કે “તમે બંન્ને નિરંજ = નિર્દૂ પર જિનેશ્વર દેવેએ જે કહ્યું છે તે જ સાચું અને શંકા વિનાનુંએવી દઢ શ્રદ્ધા હોય. હૈયાને જિનવચનને દઢ રંગ લાગ્યો હાય, એમ જિનવચને કહેલ સાધુધર્મ-નિર્ચન્વધર્મ માટે pવ ગ મરમ, સે વં રજુ (અrટે)” આ જ અર્થ છે, યાને ઈષ્ટ છે, પરમ ઈષ્ટ છે, બાકી બધું જ અનિષ્ટ છે, અનર્થરૂપ છે” એવું હૈયે હાડોહાડ બેઠું હેય.
* સમ્યકત્વના ૬૭ વ્યવહાર
સમ્યગ્દર્શન એ મોક્ષને અનિવાર્ય પહેલે ઉપાય છે. એ જેમ જેમ વધુ ને વધુ નિર્મળ થાય તેમ તેમ ઉપરના ઉપાય જોરદાર બનતા જાય છે. આ નિર્મળતા માટે સમ્યકત્વના ૬૭ વ્યવહાર પાળવાના છે. એને સરળતાથી યાદ રાખવા માટે આ પદ યાદ રાખવું – “સ શુલિ દુ ભૂલ આજભાડું પ્રભા વિ.’ આમાં તે તે અક્ષર એકેક વિભાગ સૂચવે છે, તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org