________________
સમ્યગ્દર્શન
૧૪૧
તેમજ એ સર્વજ્ઞતાથી ત્રણે ય કાળનું બધું જ પ્રત્યક્ષ જુએ છે, અને વિશ્વનું એવું સ્વરૂપ છે તેવું જ એ કહે છે. તેથી એ તત્ત્વ પર જ સંપૂર્ણ શ્રદ્ધા કરવી જોઈએ. તત્તવ જીવ-અજીવ વગેરે પૂર્વે બતાવ્યાં છે. એમાં રેય-હેયઉપાદેય તત્ત્વ પ્રત્યે તેને અનુરૂપ વલણ રાખવું જોઈએ. દાતઆ હેય હેવાથી એના પ્રત્યે અરુચિનુંનફરતનું-ગ્લાનિનું ભયનું વલણ રાખવું.
આ સમ્યગ્દર્શન ગુણ એ નિશ્ચય-દષ્ટિએ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મના ક્ષપશમથી આત્મામાં પ્રગટ થતે એક શુદ્ધ પરિણામ (અવસ્થા) છે. વ્યવહારદષ્ટિથી તે સદ્ગુણે લિંગ, લક્ષણ આદિ સ્વરૂપે છે. કાર સમ્યકત્વના પાંચ લક્ષણ છે -
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકાય.
(૧) શમ અથોતુ પ્રશમ એટલે કે અનંતાનુબંધી કષાયના ઉદયથી થતી રાગદ્વેષાદિ કષાના આવેશની શાંતિ.
(૨) સંવેગ એટલે દેવતાઈ સુખ પણ દુઃખરૂપ સમજી એની ઝંખના છેડી એકમાત્ર મોક્ષ અને મેક્ષસાધનભૂત ધર્મ માટે જ તીવ્ર તાલાવેલી – તીવ્ર અભિલાષા થાય છે. એમ સુદેવ-ગુરુ-ધર્મ પર તીવ્ર અનુગ થાય તેને પણ સંવેગ કહેવાય.
(૩) નિર્વેદ એટલે સંસાર દુઃખભર્યો માટે નરકાગારરૂપ, અને પાપની પરાધીનતાભર્યો માટે કારાગારરૂપ લાગે અને એના પ્રત્યે ઉગ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org