SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જૈન ધર્મને પરિચય ભંગ કરી નાખે છે, તો તે ઊંચા ધર્મસ્થાનથી પતન પામવા સુધી પણ પહોંચી જાય છે. દા. ત. નંદીષેણ મુનિ અગ્ય દેશચર્યા તથા આંતરશત્ર મદને વશ થઈ વેશ્યાને સમજાવવા રહ્યા તે પડયા. માનુસારી ગુણેથી આત્મખેતર ખેડાઈને મુલાયમ બને છે, અને અપુનબંધક અવસ્થાથી રસાળ બને છે. અપુનબંધક અવસ્થા અપુનબંધક અવસ્થા એટલે આત્માની એવી ગુણમય અવસ્થા કે હવે જેમાં કદી દર્શનમોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કેડાછેડી સાગરોપમની) નહિ બાંધે. આ અવસ્થા પામવા માટે મૂળમાં ત્રણ ગુણ જરૂરી છે. (૧) તીવ્ર ભાવે પાપ નહિ આચરવું, અર્થાત પાપ ન છુટતા હોય એમાં હૃદય પાપભીરૂ અને પાપના ઉદ્વેગવાળું તથા કુણું રાખવું. (૨) ઘર સંસાર પર બહુમાન ન ધરવું. સંસાર એટલે ચારગતિમાં ભ્રમણ, સંસાર એટલે અર્થકામ તથા વિષય-કષાય. સંસાર એટલે કર્મબંધન. આ સંસાર ભયંકર છે. એ ખ્યાલ રાખી સંસારને પક્ષપાત, એના પર આસ્થા કે એમાં સારાપણાની બુદ્ધિ ન રાખવી. (૩) ઉચિત સ્થિતિનું પાલન કરવું. પિતાની સ્થિતિને અનુચિત નહિ વર્તવું. હવે રસાળ ભૂમિમાં સમ્યગ્દર્શનાદિનું સુંદર વાવેતર થાય છે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy