________________
૧૩૪
જૈન ધર્મને પરિચય લેભ, માન (હઠાગ્રહાદિ)-મદ-હર્ષ એ છ આંતર શત્રુએ પર વિજય મેળવ. નહિતર એની ગુલામીમાં ધન, પૂર્વનું પુણ્ય, ને ધર્મ વગેરે ગુમાવવાનું થાય.
(૫) અભિનિવેશ ત્યાગ: એમ મનમાં અભિનિવેશદુરાગ્રહ નહિ રાખે, નહિતર અપકીર્તિ વગેરે થાય. માટે જ–
(૬) ત્રિવર્ગ–બાધાત્યાગ - ખોટા આવેશથી ધર્મ-અર્થ-કામને પરસ્પર બાધા પોંચે એવું ન કરવું. અર્થાત એ ત્રણમાંથી એક પર એવા તૂટી ન પડવું કે જેથી બીજે સદાય, અને અપયશ, ધર્મ લઘુતા, ધર્મહાનિ, વગેરે અનર્થ નીપજે.
(૭) ઉપદ્રવયુક્ત સ્થાન ત્યાગ – બળ, પ્લેગ, વગેરે ઉપદ્રવવાળાં સ્થાનને ત્યાગ કરે.
(૮) અગ્ય દેશકાળ ત્યાગ – તેમ અયોગ્ય દેશકાળમાં ફરવું નહિ દા. ત. વેશ્યા કે ચાર લુચ્ચાની શેરીમાંથી જવું નહિ. એમ બહુ મોડી રાતે ફરવું નહિ, નહિતર કલંક આવે કે લૂંટાવું પડે. * આઠ ગુણેનો આદર
(૧) પાપને ભય :- હંમેશા પાપને ભય રાખે,રખે! મારાથી પાપ થઈ જાય તે !' આ ગુણથી પાપને પ્રસંગ હોય ત્યાં “આથી મારું આત્મિક દૃષ્ટિએ શું થાય?” એ ભય રહે. આ ત્થાનને આ પાયે છે.
(૨) લજજાઃ- અકાર્ય કરતાં લજજા આવે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org