________________
૧૨૬
જૈન ધર્મને પરિચય
આવેશ વગેરે કારણે પહેલાં તે માત્ર સૂમ અનંતકાય નિગોદ વનસ્પતિમાં જ જન્મ-મરણ કરતે હોય છે. ત્યારે બીજા કેઈ બાદર વનસ્પતિકાય કે પૃથ્વીકાયાદિ યા બેઈન્દ્રિયાદિ તરીકેની ઓળખમાં અર્થત વ્યવહારમાં આવતે ન હોઈ, એ અવ્યવહાર રાશિને જીવ કહેવાય છે. એ તે જ્યારે કોઈ એક જીવ સંસારમાંથી મોક્ષ પામે ત્યારે જેની ભવિતવ્યતા બળવાન હોય તે જીવ આ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે, અર્થાત બાદર વનસ્પતિકાય, પૃથ્વીકાય.... વગેરેને જન્મ પામી એવી ઓળખમાં આવે છે, ત્યારે એ વ્યવહાર રાશિમાં આ ગણાય છે.
અહીંથી જીવ સીધો ઉપર જ ચડે એ નિયમ નથી. પૃથ્વીકાયાદિ કે બેઈન્દ્રિયાદિ વગેરેમાંથી પાછો ઠેઠ નીચે સૂકમ વનસ્પતિ સુધી પણ એને પડવાનું થાય છે. ત્યાં કાળના કાળ પણ વીતી જાય એવું ય બને છે. પાક ઉપર ચઢે છે.... વળી પડે છે... આમ કરતાં કરતાં પંચેન્દ્રિયપણામાં આવી જાય છે. પરંતુ અહીં સુધી તે એ જીવને કોઈ ધર્મ તરફ દૃષ્ટિ જ નથી ગઈ. તિર્યંચ પશુપંખીના અવતાર પણ કેક જાય છે, એ તે ઠેઠ મનુષ્યભવ સુધી પણ આવી જાય, તે ય ધર્મ–પ્રાપ્તિ સુલભ નથી. કેમકે જ્યાં સુધી જીરને આ સંસારમાં હજી એક પુદ્ગલ-પરાવર્ત કાળથી વધુ ભમવાનું હેય ત્યાંસુધી ધર્મ-પ્રાપ્તિ થતી નથી.
એમ તે ધર્મના રૂડાં ફળ, દેવપણું વગેરે જોઈને એ લેવા માટે અ-ચરમાવર્તાકાળમાં ચારિત્ર યાને સાધુ–દીક્ષા પણ સ્વીકારી લે છે, અને પાળે પણ છે, પરંતુ તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org