________________
૧૦૬
જૈન ધર્મને પરિચય
વગેરે કઈ કરણ ન લાગી શકે. એટલે એ હવે નિકાચિત કર્મ કહેવાય છે. તીવ્ર શુભ ભાવથી પુણ્યકર્મ અને તીવ્ર અશુભ ભાવથી પાપકર્મ નિકાચિત થાય છે. - આ ઉપરથી સમજાશે કે કર્મ બંધાયા પછી બધાં એવા ને એવાં જ રહે છે એવું નથી, પરંતુ કેટલાક કર્મનું બીજે સંક્રમણ, સ્થિતિ-રસમાં ઉદૂવર્તનાદિ, ઉદીરણ, વગેરે ફેરફાર થાય છે. આત્મા જે નિરંતર વૈરાગ્ય, જિન-વચનરુચિ, દયા–દાનાદિ, દેવગુરુસેવા, ક્ષમાદિ વિરતિભાવ વગેરેમાં રહે તે નવું પુણ્ય તે અવશ્ય બંધાય, પરંતુ ઉપરાંતમાં કેટલાંક જુના અશુભ કર્મનું શુભ પુણ્યકર્મમાં સંક્રમણ થાય, અશુભના રસમાં અપવર્તન થાય, શુભના રસમાં ઉદ્વર્તન થાય, વગેરે વગેરે સારાં પરિવર્તને થાય છે. એ લાભ ઉપરાંત એ વખતે અશુભ ભાવથી અશુભ ફળે ઊભા થાત એનાથી બચી શકાય છે.
એથી ઉલટું અશુભ ભાવમાં એનાથી વિપરીત વસ્તુ બને છે. આવા અનુપમ લાભ હોવાથી, હૈયાના ભાવ સદા પવિત્ર અને ઉચ્ચ કેટિના શુભ શખવા, તેમજ શક્ય એટલી શુભ કરણી, સદુવાણું અને શુભ વિચારણામાં રહેવું હિતાવહ છે. ૮. કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૨૦
પહેલાં જ્ઞાનાવરણ આદિ ૮ કર્મ કહી આવ્યા. એના પેટા ભેદ આ પ્રમાણે :
(૧) જ્ઞાનાવરણ ૫ - વસ્તુ વિશેષરૂપે જણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org