SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ રમાશ્રય પ્રમાદ એટલે આત્માને પોતાના સ્વરૂપમાં રમતા કરવામાંથી જે ચુકાવે તે, આ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકાર છે. ૧. મઘ, ૨. વિષય, ૩. કષાય, ૪. નિદ્રા અને ૫. વિકથા, એ પાંચ પ્રમાદ છે. એવી રીતે રાગ, દ્વેષ, અજ્ઞાન, સંશય, ભ્રમ, વિસ્મરણ, મન-વચન-કાયાનું દુપ્પણિધાન (અસત્યપ્રગ), ને ધર્મમાં અનાદર–અનુત્સાહ- આ પણ આઠ પ્રમાદ છે. | સર્વ પાપને ત્યાગ કરી ચારિત્ર લીધું છતાં જ્યાં સુધી સહેજ પણ પ્રમાદ નડી જાય છે, ત્યાં સુધી એ પ્રમત્ત મુનિ છે. પ્રમાદ ટાળે તે અપ્રમત્ત મહામુનિ બને. અલબત પછી પણ અપ્રમત્ત મુનિને હજી કષાય ઊભા છે. પરંતુ તે બહુ સૂક્ષ્મ છે, અને હવે તે અંતમુહર્ત કાળમાં નાશ પામી શકે અગર દબાઈ જાય એવા છે. ત્યાં જીવની જબરદસ્ત જાગૃતિ અર્થાત્ ઉજાગર દશા છે. તેથી તે અત્ય૫ કષાયને પ્રમાદ નથી કહેવાતે. એમાંથી ઊજાગરણ દશાએ ચડતાં વીતરાગ બનાય છે. આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ, એ પાંચ આશ્રવ પિતાની કક્ષા મુજબ સતત કર્મબંધ કરાવે છે. કક્ષા મુજબ એટલે કે મિથ્યાત્વ અને કષાયાદિ જેવા જોરદાર, તે કર્મબંધ જોરદાર 9 પ્રશ્નો . ૧. “આશ્રવ” એટલે શું? એને બે રીતે પ્રકારે કયા કયા? ૨. ‘મિથ્યાત્વ એટલે મિથ્યા વલણ” એમાં “વલણ” સમજાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy