________________
૯૮
જૈન ધર્મને પરિચય
જીવને પરલોકમાં જન્મ થતાં જ પહેલા સમયે કાંઈ નવું શરીર તૈયાર નથી થઈ જતું. એ વખતે તે કર્મના જથારૂપી કામણ શરીરની સહાયથી ઓરિક પુદ્ગલનું શરીર બનતું ચાલે છે. માટે તે વખતે ઔદારિકમિશ્ર કાયયોગ ચાલતે કહેવાય. શરીર પૂર્ણ બની ગયા પછી શુદ્ધ ઔદારિક કાગ ચાલતે કહેવાય એમ વૈકિયમિશ્ર અને આહારકમિશ્ર ગણતાં કુલ ૩ મિશ્રકાયયોગ થયા. હવે જીવને ભવાંતરે જતાં માર્ગમાં જે પહેલાં સીધા અને પછી બે વાર ફંટાઈને જવાનું હોય, તે એ બેમાં પહેલીવાર ફંટાય ત્યાં નથી તે પૂર્વે મૂકેલાં શરીર સાથે સંબંધ, કે નથી હવે પછી નવા ઊભા થનાર શરીર સાથે સંબંધ. તેથી માત્ર કામણ શરીરની પ્રવૃત્તિ છે. કાશ્મણ શરીર એટલે આત્મા પર લાગેલ કર્મને જ એની પ્રવૃત્તિ એ કાર્મણ કાયાગ કહેવાય. ત્યાં કોઇ આહારના પુદ્ગલનું ગ્રહણ નથી તેથી આણહારી અવસ્થા છે. આમ ઓદારિક વૈક્રિય અને આહારક, ત્રણેયના શુદ્ધ અને મિશ્ર, એમ છ તથા એક કાર્પણ કાગ એમ કુલ સાત કાયયોગ છે.
એકંદરે મન, વચન, કાયાના પંદર યોગ છે. એમાં શુભ અશુભ બે પ્રકાર છે, સત્ય મનેયેગ, સત્ય વચનગ તથા ધર્મ સંબંધી વ્યવહાર મનવચન-ગ એ શુભ છે. તેમજ ધર્મ સંબંધી શરીર-ગાવ-ઈન્દ્રિયની પ્રવૃત્તિરૂપ કાયયોગ એ પણ શુભ છે. બાકી અશુભ છે. શુભયોગથી પુણ્યને લાભ મળે છે, અશુભથી પાપને. * પ્રમાદ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org