________________
આશ્રવ
મળેલા આ ઉત્તમ જીવનમાં આ એક મહાન સાધના છે કે ભલે પાંચ જ મિનિટ યા અમુક પ્રસંગથી માંડીને દિવસ, રાત્રિ, સપ્તાહ, પક્ષ, માસ, વર્ષ યાવત્ જીવનભરને માટે વિવિધ વ્રત, નિયમ, પ્રતિજ્ઞામાં રહેવું. નહિતર અવ્રતઅવિરતિથી ફેગટ અથાગ કર્મને ભાર વધતું રહે છે. એટલે પહેલું તે જે પાપ આપણે કરતા નથી, દા. ત. શિકાર, જુગાર માંસાહાર વગેરે, એના ત્યાગની પ્રતિજ્ઞા કરી લેવી; પછી જે પાપ કરાતા હોય એમાં ય મર્યાદા બાંધી, તે ઉપરના પાપ પ્રતિજ્ઞાથી બંધ કરવા.
અવિરત મ્યુલરૂપે ૧૨ પ્રકારની હોય છે. (૧) પાંચ ઇન્દ્રિય અને મન સંબંધી વિષયનાં ત્યાગની પ્રતિજ્ઞા ન હેવી, અર્થાત્ એની આસક્તિ હેવી એ ૬, તથા (૨) હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભેજનના ત્યાગની પ્રતિજ્ઞા ન હેવી એ ૬, એમ કુલ ૧૨. આમાંથી અમુક પ્રમાણમાં પ્રતિજ્ઞા કરાય છે તે દેશવિરતિ કરી કહેવાય અને જે સંપૂર્ણ પ્રતિજ્ઞા –પાપ ન કરું, ન કરાવું કે ન અનુદું, એમ ત્રણ રીતે; અને એ કરણાદિ દરેક વળી ન કાયાથી, ન વાણીથી અને ન મનથી,'- એમ કુલ નવ પ્રકારે કરાય, તે એ સર્વવિરતિ કરી કહેવાય. અને નવકેટિ પચ્ચખાણ (પ્રતિજ્ઞા) પણ કહે છે. આમાં જેટલી કોટિ ઓછી એટલી અવિરતિ ઊભી રહી ગણાય. * કષાય :
કષ = સંસાર, આય = લાભ. કષાય એટલે જીવને જે સંસારને લાભ કરાવે છે તે. કેધ, માન-અભિમાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org