________________
જૈન ધર્મને પરિચય
બીજું એક તેજસ શરીર પણ ચેટેલું રહે છે. એ શરીર તૈજસ-વર્ગણનું બનેલું હોય છે એમાંથી તૈજસ પુદ્ગલના સ્કંધે વિખરાય છે, નવા તૈજસ પુદ્ગલ ભરાય છે, પણ અમુક પ્રમાણમાં જ કાયમ સાથે ને સાથે રહે છે જ. આ તૈજસ શરીરથી શરીરમાં ગરમી રહે અને જીવ જે આહાર ગ્રહણ કરે છે. તેનું પચન થાય છે.
(૫) ભાષાવર્ગણના મુદ્દગલમાંથી ભાષા-શબ્દરચના બને છે.
(૬) શ્વાસોચ્છવાસવર્ગણામાંથી જીવ શ્વાસેચ્છવાસ રૂપે પગલે ગ્રહણ કરે છે. એ પુદ્ગલે શબ્દ કરતાં પણ સૂક્ષમ છે. માટે જ હવારહિત (Daccum) ઇલેકટ્રીક ગેળામાં અગ્નિકાયના જીવે તે ગ્રહીને જીવે છે. ધ્યાનમાં રાખવું કે હવા એ તો વાયુકાય જીવના દારિક શરીર-પુદ્ગલ છે. શ્વાસોચ્છવાસનાં પુદ્ગલ તે એના કરતાં ઘણું ઘણું સૂક્ષમ છે. અલબત આપણે માટે ખેરાક-પાણુની જેમ બાહ્ય ચાલુ વાયુની પણ જરૂર પડે છે. પરંતુ બધા જીવને એની જરૂર પડે જ એવું નહિ. દા. ત. માછલા, મગરને.
(૭) જેમ આપણને બેલવા માટે ભાષાવર્ગણોનાં પુદ્ગલ કામ લાગે છે, તેમ વિચાર કરવા માટે મને વગણનાં પુદ્ગલ કામ લાગે છે. નવા નવા શબ્દોચ્ચાર માટે ભાષાવર્ગણાની જેમ નવા નવા વિચાર કરવા માટે નવા નવા મનવણનાં પુદ્ગલ લેવામાં આવે છે, અને એને મનરૂપે બનાવી જ્યારે છોડવામાં આવે ત્યાં વિચાર કુરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org