________________
જૈન ધર્મને પરિચય
વળી એ પુદ્ગલને ચાહ્ય તેવા રૂપમાં અથવા ભાંગ્યાતૂટયાં કે પરિવર્તન પામેલા રૂપમાં જીવ ગ્રહણ કરે છે તે પાછા સજીવ, સચિત્ત સચેતન બની જાય છે. વળી જીવ એને છેડી જાય છે ત્યારે પાછા અચિત્ત નિજીવ બને છે. એમ અનાદિકાળથી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. જીવ પુદ્ગલને ગ્રહણ કરી શરીરરૂપે ધારણ કરે છે, પાછો એને છોડી બીજા ભવમાં બીજા પુદગલથી શરીર બનાવે છે. પરમાણુ :
આ પુદ્ગલ-દ્રવ્યના ઝીણામાં ઝીણા અંશને અણુ પરમાણુ કહે છે. બે પરમાણુ ભેગા થાય તે દ્રયકદ્વિદેશિકકંધ, ત્રણ ભેગા મળે તે ચણક-ત્રિપ્રદેશિકસ્કંધ, ચાર મળે તે ચતુરણુક-ચતુઃ પ્રદેશિક.... એમ સંખ્યાતા મળે તે સંખ્યાત–પ્રદેશિક, અસંખ્યાતા મળે તે અસંખ્યાતપ્રદેશિક અને અનંતા મળે તે અનંતપ્રદેશિક સ્કન્ધ બને છે. સર્વજ્ઞની દષ્ટિએ દશ્ય એવા નૈૠયિક સૂક્ષ્મ-અનંત આણુના બનેલા સ્કંધને વ્યાવહારિક પરમાણુ કહેવાય છે. આજના વિજ્ઞાનની ગણતરીના અણુમાં પણ વિભાજન થઈ શકે છે એ આ વસ્તુના સત્યને પુરવાર કરે છે. નહિતર ખરે અણુ એટલે બસ છેલ્લું માપ. પછી એના ભાગ ન પડી શકે. માટે આજને અણુ કદાચ વ્યાવહારિક અણુ માને એના વિશ્લેષણથી પ્રાપ્ત ઈલેફન, ન્યુટ્રેન વગેરે પણ વ્યાવહારિક આણુ, બાકી અણુ તે ચર્મચક્ષુએ અદશ્ય જ હોય, એટલે આજના અણુને કન્ધ કહે ઠીક લાગે છે. * ૮ વગણએ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org