________________
૫૪
જૈન ધર્મને પરિચય
બાલ્યકાળ, તરુણકાળ વગેરે પર્યાય છે. અન્યમને કાળ પર્યાયરૂપ જ છે.
પર્યાય બે જાતના હોય છે : (૧) વ્યંજન પર્યાય, (૨) અર્થ પર્યાય. ૨જન પર્યાય – વસ્તુ જેનાથી વ્યક્ત થાય છે. દા. ત. ઘડાને વ્યંજન પર્યાય-ઘડે, કુંભ, કલશ, ગાગર વગેરે. એમ જીવને વ્યંજન પર્યાય - જીવ, આત્મા, ચેતન, પ્રાણુ વગેરે.
અથ-પર્યાય એ પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થાએ છે. દા. ત. ઘડા પર કુંભારની માલિકી વેચાણ થયા પછી ખરીદનારની માલિકી અથવા ઘડામાં માટલીની અપેક્ષાએ નાનાપણું, લેટાની અપેક્ષાએ મેટાપણું- આ બધા ઘડાના અર્થ–પર્યાયે કહેવાય છે.
બીજી રીતે પર્યાય બે જાતના - (૧) સ્વપર્યાય, ને (૨) પર પર્યાય. (૧) સ્વપર્યાય – પિતાનામાં વળગીને રહેનારા. (૨) પરપર્યાય :- પિતાનામાં નહિ રહેનારા. દા. ત. ઘડામાં માટીમયતા છે એ સ્વપર્યાય, સુતરમયતા નથી એ પરપર્યાય. ઘડામાં ગૃહવાસિતા છે એ સ્વપર્યાય, તળવવાસિતા નથી એ પર પર્યાય.
પ્રવ- પરપર્યાય તે પરના થયા, પણ ઘડાના કેવી રીતે?
ઉ૦- પરપર્યાય એ પરના તે સ્વપર્યાય છે; જ્યારે ઘડાના એ પર પર્યાય છે. તે ઘડાના પર્યાય એ રીતે કે જ્યારે સ્વપર્યાય ઘડા સાથે એકમેક-રૂપતાથી સંબંધિત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org