________________
સત્ હોય તેનું કંઈને કંઈ કાર્ય અવશ્ય હેય જ. જે વાસ્તવમાં સત્ નથી. પારમાર્થિક સત્ નથી તેનું કંઈ પણ કાર્ય ન હેય. જેમ વધ્યાપુત્ર તે સર્વથા અસતું છે તો તેનું કાર્ય પણુ જગતમાં દેખાતું નથી કાપનિક અપરમાર્થિક માયા કે અવિદ્યા જીવમાં ભ્રમ કેમ પેદા કરી શકે? તેથી માનવું જોઈએ કે કર્મ સત્ છે અને તેથી જ જીવે પર અને વિશ્વ ઉપર તેની વિવિધ સ્પષ્ટ અસર દેખાય છે.
શંકા- કર્મ ન માનીએ તો શું વાંધો?
સમાધાન – જે કર્મ ન માનવામાં આવે તે –
(૧) છોમાં પરસ્પર સુખ દુઃખની, જાતિની, કુળની, નીએાની, શરીરની, બાહ્ય સુખ દુઃખના સાધનોની વિષમતા કેમ?
(૨) બાહ્ય સુખનાં સાધને સમાન હોવા છતાં બંને સંગા જેડીયા ભાઈઓમાં પણ સુખ-દુઃખની, રાગી-નિરોગીની બુદ્ધિની શ્રીમંત-ગરીબાઈની, સ્વભાવની, સદ્ગુણે-દુર્ગની વિષમતા કેમ દેખાય છે?
(૩) બધાને સમાન સુખનાં કે દુઃખનાં સાધને કેમ પ્રાપ્ત થતાં નથી?
(૪) બધાનાં શરીરો સરખા કેમ નહિ? બધાની જાતિ, કુળ, એની સમાન કેમ નહિ? બધાને સરખી ઈદ્રિયે કેમ નહિ? બધાનાં સ્વભાવ, લાગણીઓ સરખી કેમ નહિ? બધાનાં આયુષ્ય, રૂપ, બૈભવ વગેરે સમાન કેમ નહિ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org