________________
(૫) ઈચ્છા વગર રોગના, ઘડપણના, મરણના ભંગ કેમ થવું પડે છે? તે કેણ આપે છે?
(૬) બધું ઈચ્છા મુજબ કેમ બની આવતું નથી ? ઈચ્છા વિરૂદ્ધ ઘણું ઘણું કેમ બને છે ? - (૭) બધા જીવોની રૂરિશ અને પ્રવૃત્તિઓની ભિન્નતાએનું નિયામક કોણ?
(૮) સીધે વિચારીને વેપાર કરવા છતાં નુકશાન કેમ આવે છે? . (૯) આપણને બધા અનુકુળ કેમ નથી ? - આ બધી જગતની વિષમતાઓનું સમાધાન જૈન દર્શનને કર્મ સિદ્ધાંત માનવાથી જ થાય તેમ છે.
શકા – કમને બદલે આ બધું ઈશ્વર જ કરે છે એમ માનીએ તો શું વાંધો?
સમાધાનઃ- આ પ્રશ્નનું સમાધાન આપતાં પહેલાં હું તમને પુછી લઉં કે તમે ઈશ્વરનું સ્વરૂપ કેવું માને છે ? સરાગી કે વીતરાગી ? અનંત કરૂણામય કે ક્ષુદ્ર જીવની માફક ક્ષણમાં તુષ્ટ અને ક્ષણમાં રૂણ જેવું માને છે ? ઈશ્વરનું સ્વરૂપ તો અનંત વીતરાગી અને અનંત કરૂણામય જ હાયને ? તે પછી વીતરાગ અને અનંત કરૂણામય ઈશ્વરને સંસારના પ્રપંચમાં પડવાની આવશ્યકતા શી ? આવા દુઃખમય સંસારને તે કેમ બનાવે? જીવોને તે જન્મ-મરણ વગેરેના કર્મો કેમ આપે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org