________________
૭૯
બીજી' જ્ઞાન અરૂપી છે છતાં રૂપી એવી બ્રાહ્મીના સેવ નથી તેની જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને મદિરાપાનથી જ્ઞાન આવરાઇ જાય છે. તેા અરૂપી જ્ઞાનને રૂપીની અસર પ્રત્યક્ષ સિદ્ધ છે. તેથી કથ’ચિત્ અરૂપી આત્માને રૂપી એવા કર્મીની અસર માનવામાં જરાયે વાંધો નથી.
જૈન દનનું સ્પષ્ટ મતવ્ય છે કે આત્મા જે અનાદીકાળથી ૮૪ લાખ ચેાનીએમાં અનંત જન્મ-મરણ, સુખ, દુ:ખ, રોગ શાકાદિ અનુભવી રહ્યો છે. તે કમને જ આભારી છે. જો કમ વેદાંત દ્વનની અવિદ્યાની જેમ કેવળ કાલ્પનિક હાત તે! આ સ્પષ્ટ કર્મની અસરે આત્મા ઉપર દેખાય છે તે ન દેખાત, પરંતુ કેવળ કાલ્પનિક અસત્ વસ્તુથી સુખ, દુ:ખ, જન્મ-મરણ વગેરે પ્રાપ્ત ન થઇ શકે. આત્મા સાથે કના વાસ્તવ સંબંધ માનવામાં આવે તાજ આ બધી જગતની વિષમતાઓનું સમાધાન થઇ શકે.
વન્ધ્યા પુત્રના સંગથી મારા છોકરી બગડી ગયા આ વાત જેમ યુક્તિહીન છે, તેમ કાલ્પનિક ક (અવિદ્યા) થી આત્મામાં રાગ, દ્વેષ અને વાસનાઓની ખરાબી આવી ગઇ તે પણ યુક્તિ વગરની વાત છે. શુદ્ધ પાણીમાં વાસ્તવિક કચરા, મેલ વગેરે ભળે છે. તાજ શુદ્ધ પાણી મલીન અને છે. કાલ્પનિક કચરાથી કે મેલથી શુદ્ધ પાણી અશુદ્ધ ન બની શકે તેમ સત્ એવા કર્મરૂપીકચરાથી જ આત્મારૂપી શુદ્ધ પાણીમાં મલીનતા દાખલ થઇ છે.
તેથી જેમ જૈન દન ધર્માસ્તિકાયાદિ છ દ્રબ્યાને સત્ માને છે તેમ પુદ્ગલમય કને પણ સત્ માને છે. અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org