________________
ભાવ ઉપજાવવા હોય તો આત્મારૂપી દુધે હવે કર્મરૂપી પાણીનો સંગ સર્વથા ત્યજી દેવો જોઈએ. ' લેટું અગ્નિનો સંગ કરે છે તે તેને પણ ઘણથી લુહારની શાળામાં કુટાવું પડે છે. તેમ જીવરૂપી લોઢાએ કર્મરૂપી અગ્નિને સંગ કર્યા છે તેથી જ ચારે ગતિઓમાં ૮૪ લાખ નીઓમાં કર્મરૂપી લુહારના હાથે કુટાવું પડે છે.
શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘી વગેરેની મિલાવટ થવાથી શુદ્ધ ઘીની મહત્તા ઘટી જાય છે, તેમ શુદ્ધ આત્મામાં કર્મની મિલાવટ થવાથી આત્માની મહત્તા ઘટી ગયેલી છે. અનંત જ્ઞાનમય આત્મા ઉપર આઠ કર્મરૂપી વાદળ આવી ગયાં છે. તેથી આત્મારૂપી સૂર્યની તિ આવરાઈ ગઈ છે. જે બૈરાગ્ય અને ત્યાગરૂપી જોરદાર પવન શરૂ થઈ જાય તે કર્મરૂપી વાદળાં આત્મારૂપી સૂર્ય પરથી ખસી જાય તો આત્માનું અનંત જ્યોતિમય સ્વરૂપે પ્રગટ થઈ જાય. બસ, માનવ જીવનમાં આ આત્મા ઉપર આવી ગયેલાં કર્મરૂપી વાદળાને દૂર કરવાનું મહત્વનું છે. તે વાદળે સર્વથા દૂર થયા પછી તો આત્માને સદાકાળ લીલાલહેર છે.
શંકા- અરૂપી આત્માને રૂપી કર્મોની અસર કેમ હોય?
સમાધાન - સંસારી કમબદ્ધ આત્મા સર્વથા અરૂપી નથી પણ કથંચિત્ અરૂપી છે. તેથી જ્યાં સુધી જડ કર્મોથી યુક્ત છે, ત્યાં સુધી તે મૂર્ત જે છે અને જ્યાં સુધી કર્મ બંધની યેગ્યતા જીવમાં પડેલી છે તેને સર્વથા નાશ ન થાય ત્યાં સુધી કથંચિત્ અરૂપી આત્માને રૂપી કમનો સંબંધ થયા કરવાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org