________________
કર્મબંધરૂપ કાર્ય કયાંથી ઉત્પન્ન થવાનું છે? ઘરની બારીઓમાંથી ધૂળ પવનથી ઉડીને વારેવારે આવ્યા કરતી હતી તેથી - આખું ઘર ધૂળથી વ્યાપ્ત બની જતું હતું અને મલીન થતું હતું. પણ ઘરની બધી બારીઓ બંધ કરી દીધી તો પછી કયાંથી ઘરમાં ધૂળ પેસવાની હતી?
- એમ આ આત્મારૂપી ઘરની (કર્મબંધના કારણે રૂપી) આશ્ર રૂપી બારીઓ જ બધી બંધ કરી દીધી તો પછી આત્મઘરમાં કર્મરૂપી ધૂળ કયાંથી ભરાવાની હતી? પછી કર્મરાજ દ્વારા જીવને જે પરેશાની જોગવવી પડતી હતી તે પણ કયાંથી રહેવાની? પછી તો કર્મરૂપી ધૂળ વગરના શુદ્ધ પવિત્ર આત્મઘરમાં રહેવાની જીવને ઓર મજા પડવાની.
શંકા- અનાદી કાલીન જીવને કર્મની સાથે સબંધ છુટી શકે ખરો ?
સમાધાન– હા, જેમ સેનાની ખાણમાં અનાદી કાળથી સેનાને માટી સાથે ગાઢ સંબંધ હોય છે, છતાં સેનાને ખાણમાંથી કાઢી તેના ઉપર એગ્ય સંસ્કાર કરવામાં આવે છે તો તેનું માટીથી તદ્દન અલગ પડી ચળકતું સે ટચનું શુદ્ધ સેનું બની જાય છે તેમ આત્મારૂપી સુવર્ણ પણ અનાદી કાળથી કર્મરૂપી માટી સાથે ભળેલું છે. તેને તપરૂપી અરિનમાં નાખી શુદ્ધ, સંયમ, જ્ઞાન, ધ્યાનની પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે તે આત્મારૂપી સુવર્ણ પણ કર્મરૂપી માટીથી અલગ પડી ચળકતું સે ટચનું શુદ્ધ સુવર્ણ બની જાય.
કર્મ એ ઉપાધી છે, જેમ સ્ફટીક રત્નની સામે જેવા રંગની વસ્તુ આવે તેવા તેવા રંગવાળું તે દેખાય છે. તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org