________________
૭૫
જ્ઞાન-ધ્યાનમાં પ્રયત્ન કોણ કરે? એથી માનવું જોઈએ કે જીવ અનાદી કાળથી કમબદ્ધ જ છે. પૂર્વે કોઈ કાળે કર્મથી રહિત છે જ નહીં.
શકા- અનાદી કાળથી કર્મબદ્ધ જીવ કેમ છે?
સમાધાન- કારણ હોય તે કાર્ય થાય જ. અપચ્ચ ભજન ચાલુ રહે તે રોગથી મુક્ત થવાની ભાવના હોય તે પણ રોગ મુક્ત ન થઈ શકે, તેમ જીવે અનાદી કાળથી કર્મ બાંધવાના કારણો સેવવાનું ચાલુ રાખ્યું છે. તેથી કર્મ બંધ પણ અનાદી કાળથી ચાલ્યો આવે છે. હિંસા, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, માંસાહાર, દારૂ, પરસ્ત્રીગમન, રાગ દ્વેષ, મેહ, કામ ક્રોધ, લોલ વિષયાસક્તિ આ બધા કર્મબંધનને કારણે જે અનાદી કાળથી જીવે ચાલુ રાખ્યાં છે. તેથી અત્યાર સુધી કર્મોથી આત્મા બંધાતો આવ્યો છે. હવે કર્મબંધનના કારણેને બંધ કરી અહિંસા, સત્ય, ન્યાય, નીતિ, સદાચાર, નિષ્પરિગ્રહતા, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તપ-સંયમનું આત્મ શુદ્ધિની કામનાથી, મેક્ષની ભાવનાથી, સેવન કરે, આદરથી નિરંતર પાલન કરે તો અનાદી કાલીન કર્મબંધનોથી મુક્ત બની મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કરે.
જેમ રેગ જતો ન હતો કારણ કે રેગનાં કારણોને દરદી છેડતો ન હતો. પણ ડોકટરના કહેવાથી દરદીએ રેગના બધાં કારણે બંધ કરી દીધાં. અને પૂર્ણ પશ્યના પાલનપૂર્વક નિયમિત દવા કરવા લાગ્યો તે રોગમુક્ત બની ગયે. પછી કારણના અભાવે કાર્ય કયાંથી ઉત્પન્ન થવાનું છે? છે તેમ કર્મબંધના કારણે જ જીવે બંધ કરી નાંખ્યા હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org