________________
૭૧
કામણ વગણના પુદગલોમાં તેની શક્તિ પણ નથી. જેમ ગાય સંબંધ રહિત શુષ્ક ઘાસમાં કંઈ દૂધ આપવાની શક્તિ નથી પણ તેજ શુષ્ક ઘાસને ગાય જ્યારે ખાય છે તે તેમાંથી દૂધ ઉત્પન્ન થાય છે. અને તે દૂધ દ્વારા પીનારને પ્રષ્ટિ વગેરે ગુણ પ્રાપ્ત થાય છે. તેમ લેક વ્યાપી કામણ પગલે એમજ તથા સ્વભાવે રહેલા છે. તે સ્વયં જડ છે. મૂર્ત છે. તે કેઈને પણ પોતાને ગ્રહણ કરવા કહેતા નથી. તેમજ ગ્રહણ કરવા માટે પ્રેરણા પણ કરતા નથી પણ જેમ લેંઢાને લેહચુંબક ખેંચનાર મળી જાય તો તથા સ્વભાવે લોઢાને તેના પ્રતિ ખેંચાવું જ પડે છે. તેમ રાગ દ્વેષ યુક્ત યા ગ કષાયની પરિણતિ વાળે જીવ લોહચુંબક જેવો છે. તેથી તેવા જીવ રૂપી લોહચુંબકના પ્રભાવે તથા સ્વભાવે તે તે કાર્પણ વર્ગણાના પગલે ખેંચાઈને આત્મા સાથે દૂધ-પાણીની માફક આત્મસાત્ બની જાય છે. મિથ્યાત્વાદિ હેતુઓ વડે કાર્મણ પુદગલો ગ્રહણ કરી આતમાએ શીરે-નીરની જેમ આમસાત્ બનાવેલા આ કામણ વર્ણના પુદગલેને જ જૈન દર્શનમાં “કર્મ સંજ્ઞા આપેલી છે.
બસ, આત્માએ રાગ દ્વેષ અને મન વચન કાયાની પ્રવૃત્તિ દ્વારા ગ્રહણ કરેલા કામણ વર્ગણના પુગલોને જૈન દર્શનમાં કર્મ કહેવામાં આવે છે. અને તેને જ કમ તરીકે ઓળખવામાં આવે .
જ્યાં સુધી જીવે તે કાર્મણ પુગલેને ગ્રહણ કર્યા નથી ત્યાં સૂધી તેને કર્મ સંજ્ઞા આપવામાં આવતી નથી. આ રાગ દ્વેષ યા યોગ કષાયની પરિણતી દ્વારા ગ્રહણ કરેલા કામણ પુદ્ગલે ચાર વિભાગમાં ગ્રહણ કાળમાં જ વહેચાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org