________________
આમ દરેક નામાદિ ને પોતપોતાના અભિપ્રાયમાં સાચા હોવા છતાં જે આપસ આપસમાં નિરપેક્ષ બની રહે તે જૈનશાસનની સેવા કરવાને બદલે કુસેવા કરે છે.
આ રીતે ભિન્ન ભિન્ન દષ્ટિથી અને કંઈક વિસ્તારથી નિક્ષેપાના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. પાઠક વર્ગ ચારે નિક્ષે પાના વક્તવ્ય તરફ મધ્યસ્થ ભાવ રાખી રડારે પોતપોતાના સ્થાન પર સાચા છે. અને પ્રત્યેક જીવનમાં ઉપયોગી છે એમ તાત્પર્ય કાઢે. જૈનગમોમાં શાસ્ત્રના પદ-પદની વ્યાખ્યા કરતાં આ નામાદિ નિક્ષેપાઓને ઉપગ કરે છે. શાસ્ત્રકારના અભિપ્રાયને સમજવા નિક્ષેપાના જ્ઞાનની ખાસ આવશ્યકતા રહે છે. વ્યવસ્થિત શાસ્ત્ર અધ્યયન આ અલગ અલગ નિક્ષેપ પાડવા પૂર્વક જ થઈ શકે છે.
(વિશેષાવશ્યક ગ્રંથના આધારે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org