________________
ઘટાદિમાં માત્ર કાર્યનો ઉપરડાર જ કરવાથી કાર્ય કહેવાય છે. ઉપચાર કઈ વાસ્તવ વસ્તુ નથી. માટે સ્થાપનાદિ એ કોઈનું કારણ ન હોવાથી વરતુ નથી.
- ભાવનાથી. પ્રતિશીલ
ભાવનયનું વક્તવ્ય:
ભાવનય કહે છે કે ભાવથી અલગ દ્રવ્ય જેવું શું છે ? અર્થાત્ કંઈ જ નથી. પ્રતિક્ષણ પર્યાની ઉત્પત્તિ અને વિનાશ હેવાથી પ્રતિક્ષણ વસ્તુ ઉત્પન્નશીલ અને વિનાશશીલ જ દેખાય છે. કેઈ અનાદીકાલીન સ્થિર વસ્તુ હતી અને તેમાંથી બીજી બીજી વસ્તુનો આરંભ થયે એવું નથી પણ એક પર્યાયની ઉત્પત્તિ અને અપર પર્યાયને નાશ આવું પ્રતિક્ષણ ચાલુ છે કે વસ્તુ તદ્દન નાશ પામતી નથી પણ પાછા બીજા પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી વસ્તુ કંઈ નવી ઉત્પન્ન થતી નથી.
અને નામાદિ ત્રણેનો આધાર તો હું જ છું, કેમ કે હું જ મૂળ રૂપમાં ન હોત તો નામ કોનું પાડત, સ્થાપના કોની સ્થાપિત કરત, અને દ્રવ્ય પણ કોનું હેત. કઈ ઇન્દ્ર જેવી વાસ્તવિક વસ્તુ જગતમાં વિદ્યમાન છે તો તેનું નામ છે, સ્થાપના છે, દ્રવ્ય છે. ભાવ તિર્થંકર છે તો તેનાં નામ સ્થાપના–દ્રવ્ય હોય છે માટે મારા ઉપર જીવનારા તમે ત્રણે મગરૂબી શાની કરે છે ? જે કંઇ છે તે ભાવ જ છે.
આ ચારે નામાદિ ને પરસ્પર સાપેક્ષ રહે તે જ સમ્યગ કહેવાય છે. પરસ્પરના વ્યક્તવ્યને તેડી ફાડી પોતપિતાને જ પક્ષ સ્થાપિત કરવા જતાં તે સ્વયં જ મિથ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org