________________
શંકા - જે એક સ્વભાવરૂપ નિર્વિકાર દ્રવ્ય છે તે અનંતકાલ ભાવિ અનંત અવિર્ભાવ-
તિભાવનું એક સાથે કારણ કેમ નથી બનતું ?
સમાધાનઃ- અચિત્ય સ્વભાવવાળું દ્રવ્ય હોવાથી તેને એક સ્વભાવ હેવા છતાં તેમાં કમશઃ આવિર્ભાવ-તિરોભાવની પ્રવૃત્તિ થાય છે. જેમ સર્પાદિ દ્રવ્યમાં.
શકા - આવું બહુરૂપવાળું દ્રવ્ય નિત્ય કેવી રીતે ? સમાધાનઃ- “થા વેપાતરા નો દુદવને ઘા ઝારા'
- જેમ નવા નવા વેશને ધારણ કરનાર બહુરૂપી નટ. નવા નવા વેશ ધારણ કરવા માત્રથી નટ કંઈ પલટાઈ જતો નથી કે નાશ પામી જતો નથી. તેમ દ્રવ્ય પણ નવા નવા પર્યાય રૂપી વેશ ધારણ કરવા માત્રથી તેની નિત્યતામાં કંઈ ક્ષતિ આવતી નથી.
જેમ આકાશ ઘટાકાશ–પટાકાશ રૂપે પરિણમવા છતાં તેની નિત્યતામાં ક્ષતિ આવતી નથી. માટે સર્વત્ર જગતમાં કારણ જ છે. ર વર્ષ ારાં તત્ સર્વ નેવ, વત્ ર વાર ન તત સર્વ zથમેર | જે કારણ છે તે બધું દ્રવ્ય રૂપ જ છે. અને જે કારણ નથી તે દ્રવ્ય રૂપ નથી.
શંકા- કારણ શબ્દથી કાર્યની જિજ્ઞાસા થાય છે જ તો તમે શા માટે કારણમાત્ર જ છે અને કાર્ય નથી એમ કહો છો ?
સમાધાન – આવિર્ભાવ-તિરોભાવસ્થાસ, કુશલાદિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org