________________
નામ ન હોય તો વ્યવહારમાં મોટી ગરબડ મચી જાય. નામ વગર ટપાલી ટપાલ કોને પહોંચાડે? નામ વગર દેશ-પરદેશથી વસ્તુ કેવી રીતે મંગાવે ? નામ વગર બજારમાંથી વસ્તુ નોકર પાસે પણ કેવી રીતે મંગાવે? નામ વગર ભગવાનનું સ્મરણ પણ કેવી રીતે કરવું ? નામ વગર સ્કૂલમાં શિક્ષક કેવી રીતે ભણાવે? લઈ જાઓ, લા વગેરે ક્રિયાઓ નામને જ આધીન છે. આત્મ સ્વરૂપનો (વસ્તુ) લાભ પણ નામને જ આધીન છે. માટે આ નામ વગર જગતને ચાલે તેમ નથી. નામ ઉપર જ વ્યવસ્થિત જગતનો વ્યવહાર ચાલી રહ્યો છે.
સ્થાપના નયનું વ્યક્તવ્ય:
સ્થાપના નય કહે છે કે નામ પણ શબ્દરૂપ છે. અને જે પૌદગલિક હોય તે આકારવાળું જ હાય માટે “સત તત્ત सर्वमाकारमकमेव । यत् अनाकारं तनारित एव यथा वन्ध्यापुत्र'
પરવાદી જે અનાકાર વસ્તુને માને છે તેનું નિરાકરણ કરે છે (૧) અનાકાર વસ્તુનો સર્વથા અનુપલંભ છે. (પ્રતિતી નથી) (૨) અનાકાર વસ્તુથી નાને વ્યવહાર થતો નથી. આ બે કારણથી આકાશ કુસુમની જેમ અનાકાર વસ્તુ છે.
દ્રવ્યનયનું સ્વરૂપઃદ્રવ્યના પરિણામ માત્રને મૂકીને આકાર જેવું શું છે ? ઉત્પાદ-વ્યય રહિત નિર્વિકાર દ્રવ્ય એજ વસ્તુ છે. :
પૂર્વ પર્યાયને તિભાવ અને ઉત્તર પર્યાયમાત્રને આવિર્ભાવરૂપ દ્રવ્યના પરિણામને છેડીને આકાર-દર્શન જેવું બીજું શું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org