________________
भ
धस्तुनः स्वरुपं नाम तत्प्रत्यय हेतुत्वात् यद् यस्य प्रत्यय हेतुस्सत् तस्य धर्मः ।
વસ્તુનું સ્વરૂપ નામ છે. તેની પ્રતીતિનું કારણ હોવાથી જે જેના પ્રત્યયનું (પ્રતીતિનું કારણ હોય તેને તેને ધર્મ કહેવાય છે. જેમ ઘટનું જ્ઞાન તેના રૂપાદિ ધર્મોને લઈને જ થાય છે. માટે તે રૂપાદિ ધર્મો ઘટની જ પ્રતીતિના હેતુ છે. પણ તે ઘટના ધર્મો પટના નથી તેથી તે પટનું અભિધાન કરતા નથી પણ ઘટનું જ અભિધાન કરે છે. તેમ ઘટના અભિધાનથી ઘટતું જ જ્ઞાન થાય છે માટે તે નામ પણ ઘટના જ ધર્મ છે. ઘટ શબ્દથી પટાદિને વ્યવચ્છેદ થવાથી ઘટની જ પ્રત્તિપત્તિ (જ્ઞાન) થાય છે માટે વસ્તુનું નામ નથી તે તે વસ્તુ જ નથી કેમકે નામ વિના વસ્તુ અભિધેય (વચ્ચે) બનતી જ નથી.
બીજું જે નામ વસ્તુનો ધર્મ ન હોય તો વક્તા ઘટ શબ્દ ઉચ્ચારતા શ્રેતાને મિથાણું આણે શું કહ્યું? એ સંશય જ થાય. અથવા ઘટને બદલે પટનો વિપરીત બોધ થાય. અથવા અપ્રતિપત્તિ રૂપ અનવ્યવસાય થાય. કંઈ ગમ જ ન પડે અથવા ગમે તેવું અનિશ્ચિત જ્ઞાન થાય. માટે વસ્તુ ધર્મ એ જ નામ છે.
હા
બીજું નામને આધીન લક્ષ્મ, લક્ષણ અને વ્યવહાર છે, નામને આધીન બુદ્ધિ, શબ્દ અને ક્રિયા છે. જીવ એવું નામ છે તે તેને લક્ષ્ય બનાવી ચેતના જાગે ગીવ છે એવું લક્ષણ બનાવવામાં આવે છે અને તેથી જ જીવ–અજીવ એ અબાધિત વ્યવહાર પ્રવર્તે છે.
છે એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org