________________
(૩) દ્રવ્ય- કઈ પણ વસ્તુની કારણુતા હોય છે.
(૪) ભાવ- કેઈપણ વસ્તુ પિતાનું કાર્ય કંઈને કંઈ કરતી હોય છે. અર્થાત્ કાર્યાપન્ન હોય છે.
આ ચાર નિક્ષેપને માને તેજ સમ્યગ્ર દૃષ્ટિ છે. કારણકે જિનમત એ સર્વનય સમુહાત્મક હેવાથી પ્રથમનાં ત્રણ નિક્ષેપ વ્યાર્થિક નયના વિધ્ય છે અને ભાવનિક્ષેપ પર્યાયાર્થિક નયને વિષય છે માટે આ બે મુખ્ય નામાં સકલનને અન્તર્ભાવ થતો હોવાથી તેઓનો પણ વિષય આ ચાર નિક્ષેપ રૂપ વસ્તુઓ જ છે માટે આ નામાદિ ચાર નિક્ષેપોમાંથી એકને પણ ન માને તો તે મિથ્યા દણિ છે.
તેથી નામાદિ ત્રણ નિક્ષેપ પણ ભાવનું કારણ હોવાથી તે પણ ભાવ રૂપ જ છે એક વસ્તુમાં એક કાલે વિદ્યમાન પર્યાની મધ્યે “આ વસ્તુ અને બીજી અવસ્તુ એવું બોલી શકાય નહિ. અમુક પર્યાને ધ્યાનમાં રાખી વસ્તુ કહેવી અને બાકીના પર્યાયોને ખ્યાલ બહાર રાખી અવસ્તુ કહેવી તે યોગ્ય નથી. કેમકે સર્વે પર્યાયે દ્રવ્યરૂપતયા એક રૂપ જ છે.
આ ઉપરોક્ત ચારે નિક્ષેપમાં નામનય નામને જ પ્રધાન માને છે.
નામ નચ -
બૌદ્ધ મત વાળા શબ્દ પ્રમાણ માનતા નથી માટે નામને વસ્તુના ધર્મ તરીકે માનતા નથી તેની પ્રતિ નામ નય કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org