________________
એટલે પ્રથમના ત્રણ ભંગ કલાદેશ અને અંતિમ ચાર ભ વિકલાદેશ મનાય છે.
વસ્તુમાત્ર અપેક્ષાએ અસદ ઉભયાત્મક એક જાન્યન્તર રૂપ છે. એટલે નહિ કે કેવળ સત્ રૂપ કે અસત્ રૂપ કે બંનેના સરવાળા રૂપ પણ એક વિલક્ષણ વસ્તુનું સ્વરૂપ છે. જેમ સુંઠ અને ગેળના અલગ અલગ ગુણધર્મો જુદા જુદા એકલી સૂંઠ વાયુનો તો નાશ કરે પણ સાથે સાથે પીત્તનો દોષ ઉત્પન્ન કરે. અને એકલો ગુડ પીત્તનું તો શમન કરે પણ સાથે સાથે કફદોષ ઉત્પન્ન કરે. પણ બંનેના મિશ્રણથી બનાવેલી ગાળી એ વાયુ-પિત્તનો તો નાશ કરે જ પણ સાથે સાથે કોઈ દોષ તેનાથી ઉત્પન્ન થતો નથી. તેથી સૂંઠ-ગોળના અલગ અલગ ગુણધર્મો જુદા અને બંનેના મિશ્રણથી બનેલી જાન્યન્તર ગળીના ગુણધર્મો જુદા. તેમ
એકાન્ત નિત્ય અને અનિત્યત્વ જુદું અને બંનેથી બિલકુલ વિલક્ષણ ગુણધર્મવાળું નિત્યાનિત્યત્વ જુદું.
આ સપ્તભંગમાં સકલ પદાર્થોના ધર્મો સંબંધી અંગે નહિ સમજવા પણ માત્ર એક જ વસ્તુના એક ધર્મ સંબંધી જ સંગ સમજવો. એક જ વસ્તુમાં સ-અસત્ આદિ અનંત ધર્મો છે. તેથી અનંત ધર્મ વિષયક જિજ્ઞાસા પ્રજય અનંત પ્રશ્નોના ઉત્તરમાં અનંતભંગ થઈ જાય. તેથી એક એક વસ્તુના એક એક ધમની જિજ્ઞાસા પ્રજય અહિં પ્રશ્ન સમજે. તેથી એક એક પદાર્થના એક એક ધર્મના પ્રશ્નોમાં તો એક એક જ સપ્તભંગી થાય. કારણ એક એક વસ્તુને એક એક ધમ સાત પ્રકારે જ વ્યવસ્થિત છે. તેથી તદ્ વિષયક શંકા પણ સાત પ્રકારે જ થાય એટલે ઉત્તર પણ સાત પ્રકારના વાકયથી જ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org