________________
-
૩૮
ઉત્પન્ન કરનારી સામગ્રી નિષ્ફળ જાય. તેથી સ્યાદ્વાદ મતે જ સંપૂર્ણ કાર્ય કારણભાવની વ્યવસ્થા ઘટી શકે છે
જેમ, માટીમાં ઘટ સત પણ છે. અને અસત પણ છે. સત એટલા માટે કે એ જે સ હોત તો માટીમાંથી જ ઘટ શા માટે ઉત્પન્ન થાય ? ગમે ત્યાં તંતુ વગેરેમાં ઉત્પન્ન થવો જોઈએ. અસત એટલા માટે કે કર્તા વ્યાપારની જરૂર પડે છે ત્યારે જ ઘટ દેખાય છે. જે સર્વથા સંત, હોત તો ત્યાં કર્તવ્યાપારની જરૂર ન પડત. તેથી કારણમાં કાર્ય કથંચિત સત છે અને કથંચિત અસત છે.
પુરુષ વસ્તુમાં ભેદભેદ –
સ્યાત' પદથી રિહિત ભેદભેદ રૂપ પુરૂષ દ્રવ્યને જે જંકારપૂર્વક ભેદ રૂપજ કે અભેદ રૂપજ છે એવું એકાંત પ્રતિપાદન કરે છે તેની આગમને વિષે નિશ્ચિત (સ્થિર) બુદ્ધિ નથી. કેમકે અર્થનોની દષ્ટિએ પુરૂષ રૂપ વસ્તુમાં કથંચિત ભેદ છે અને શબ્દનની દષ્ટિએ પુરૂષમાં અભેદ છે.
જેમકે, જાતિ કુલ રૂપ, આદિ લક્ષણે નામ અને બીજા પુત્ર પિતા આદિના સંબંધે તે પુરૂષને અભિન્ન સાબિત કરે છે. જ્યારે બાલ, યુવાન પ્રૌઢ, વૃદ્ધ વગેરે અવસ્થાએ જે એક પછી એક આવીને નાશ પામી ચાલી જાય છે તે પુરૂષને ભિન્ન રૂપે સાબિત કરે છે. આમ પ્રત્યેક જડ-ચેતન પદાર્થોમાં ભેદભેદ છે પણ એકાંત ભેદ કે એકાંત અભેદ નથી.
સર્વ વસ્તુ-એક-અનેક સ્વરૂપ છે
દ્રવ્ય રૂપે વસ્તુ એક છે, પર્યાય રૂપે વસ્તુ અનેક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org