________________
અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે ધર્મોની પણ થોડીક વિચારણા કરી લઈએ.
વસ્તુમાં એકાએકત્વ –
જેમ આત્મા રૂપી વસ્તુમાં એકત્ત્વ પણ છે અને અનેકત્ત્વ પણ છે. મૂળ આત્મવરૂપની દષ્ટિએ વિચાર તો ર્વિશ્વવતી બધા આત્માઓનું સ્વરૂપ સમાન હોવાથી સ્વરૂપ દષ્ટિએ બધા આત્માઓ એકરૂપ છે. અને સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો પ્રત્યેક આત્મા જુદે જુદે છે એ એની વિવિધ-વિચિત્ર પ્રવૃત્તિઓ પરથી જણાય છે. જે આત્મા દરેક જુદા જુદા ન હોય તો દરેક આત્માનાં સુખ, દુ:ખ સમાન હોય. દેહ બધાનાં સમાન હોવા જોઈએ. જ્ઞાનમાં કે અજ્ઞાનમાં તરતમતા ન હોય. બંધ અને મુક્તિ બધાની સાથે જ થવી જોઈએ. એક પશુ એક માનવ અને એક દેવ એ ભેદ ન હોઈ શકે.
કાર્ય કારણમાં ભેદભેદ છેઃએકાંતવાદી બૌદ્ધ અને વૈશેષિક ભેદવારી હોવાથી કારણ અને કાર્યને સર્વથા ભિન્ન માને છે. માટે ઉત્પત્તિ પહેલાં કારણમાં પૂર્વ નહિં એવી અપૂર્વ જ કાર્યની ઉત્પત્તિ સ્વીકારે છે. જ્યારે સાંખે એકાંત અભેદવાદી હોઈ કારણ અને કાર્યને સર્વથા અભિન્ન માને છે અને તેથી જ તેઓ ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં વિદ્યમાન એવા કાર્યની ઉપસ્થિતિ માને છે. તેથી કારણમાં કાર્ય સર્વથા સત્ જ છે એમ માને છે જ્યારે બૌદ્ધ વૈશેષિક કારણમાં કાર્ય સર્વથા અસત્ છે એમ માને છે. - બૌદ્ધ અને શેષિકની દલીલ એવી છે કે કારણમાં ઉત્પત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org