________________
એકાંત નિત્ય પક્ષના અને એકાંત અનિત્ય પક્ષના દોષે આવતા ટળી જાય છે. અને વસ્તુની યથાસ્થિત વ્યવસ્થા સ્થાપિત થાય છે.
જેમ એકલા ભાતના અને એકલી દાળના ગુણે જુદા. અને બંનેના મિશ્રણથી બનાવેલ ખીચડીના ગુણે જુદા. ભલે ખીચડી અને અલગ અલગ દાળ ભાતમાં ઉપલક દૃષ્ટિએ એક જેવું લાગે પણ અલગ અલગ દાળ ભાત વાયુ ઉત્પન્ન કરે છે જ્યારે બંનેના મિશ્રણથી તૈયાર થયેલ ખીચડી વાયુના દોષને ઉત્પન્ન થવા દેતી નથી. અને શરીરને પુષ્ટિ વગેરે ગુણ કરે છે.
એમ અલગ અલગ હરડે, બહેડાં આંબળાને ગુણ જુદે. અને ત્રણેના સરખેભાગે મિશ્રણથી થયેલ ત્રિફલાનો ગુણ જુદે. અલગ અલગ હરડે બહેડા અને આંબળા કદાચ એક એક ગુણ કરશે તે સાથે સાથે એક એક દોષ પણ ઉત્પન્ન કરશે
જ્યારે એ ત્રણેના મિશ્રણથી તૈયાર થયેલાં ત્રિફલાં ત્રિદેશને નાશ કરી શરીરની કાન્તિ અને સ્કૂર્તિ વધારશે
તેમ એકાંત નિત્યપક્ષ અને એકાંત અનિત્યપક્ષમાં સમસ્ત સંસાર વ્યવહારને જ ઉછેદ થઈ જાય છે જ્યારે નિત્યાનિત્ય પક્ષે -કથંચિત નિત્ય અને કથંચિત અનિત્ય પક્ષે નથી આવતો કેઈ દોષ અને સારાયે વિશ્વની સુંદર વ્યવસ્થા જળવાઈ રહે છે.
- જેમ ઉપર મુજબ નિત્યાનિત્યત્વ સંબંધી વિચારણા કરી તેમ વસ્તુમાં રહેલ એકાનેકવ, ભેદભેદત્ત, સત્તાસત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org