________________
૩૪
સમ્યગ પ્રતિપાદન છે. “ચા” પદથી બીજા તેજ કાળે તેજ વસ્તુમાં રહેલા અન્ય અન્ય ધર્મોની સાપેક્ષતા રહે છે. જેના મતે આત્મા વગેરે પદાર્થો એકાંતે નિત્ય પણ નથી અને અનિત્ય પણ નથી. પણ નિત્યાનિત્ય એક વિલક્ષણ સ્વભાવવાળા છે. અર્થાત્ પરિણામી નિત્ય પદાર્થો છે.
જેમ-મૂળદ્રવ્ય દષ્ટિથી આત્મા વગેરે નિત્ય છે.
તેથી પરલેક, સુખ, દુઃખ, બંધ મેક્ષ વગેરે ઘટી શકે છે. ભિન્ન ભિન્ન નિમાં, ભિન્ન જાતિમાં, કુળોમાં ઉત્પન્ન થવા છતાં, અને નાશ પામવા છતાં અનુયાયી મૂળ આત્મ દ્રવ્યતેનું તેજ અવિનાશી રહે છે.
પર્યાય દષ્ટિથી આત્મા વગેરે અનિત્ય છે.
તેથી મૂળ સ્વરૂપે આત્મા કાયમ રહી તે તે નવા નવા પર્યાયોને ધારણ કરે છે અને પૂર્વ પૂર્વના પર્યાય રૂપે નાશ પામે છે. જેમ મનુષ્ય રૂપે આત્મા હતો તે નાશ પામી અને દેવરૂપે ઉત્પન્ન થયે. આમ મૂળ આત્મદ્રવ્ય કાયમ રહે છે અને તેની અવસ્થાઓ-પર્યાય પલટાયા કરે છે.
જે દષ્ટિથી કે જે અપેક્ષાએ આત્માનું વગેરેનું નિયત્વ છે તે જ દષ્ટિએ આત્મા વગેરેનું અનિત્યત્વ નથી, પણ ભિન્ન ભિન્ન દૃષ્ટિથી આત્માનું નિત્યપણું અને અનિત્ય પણું છે. એમ જૈન દર્શન કહે છે. મૂળ દ્રવ્ય દૃષ્ટિએ નિત્યપણું અને પર્યાયદષ્ટિએ અનિત્યપણું કહે છે. એકજ સાથે એકજ કાળે આત્મામાં નિયત્વ અને અનિત્યત્વ નિરાબાધ પણે રહેલું છે. એમ પિકારી પિકારીને જેના દર્શન કહે છે. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org