________________
૩૧
ભાવવાળા માને છે. તે કહુ છે કે આત્મામાં કાઇ કાળે કઇ પણ ફેરફાર પરિવર્તન થતું જ નથી. તે જેવા છે તેવા જ સદા રહે છે. આ પ્રતિપાદન એકાંત છે. વસ્તુની બીજી સાઇડ પણ જોવી જરૂરી છે. જો આત્મામાં કોઇ કાળે કઇ ફેરફાર ન થતો હોય તો યમ-નિયમ વગેરે ક્રિયાકાંડા શા માટે જોઇએ ? અંધ–મેાક્ષની વ્યવસ્થા કેમ ઘટે ?
જે આત્મામાં કઇ ફેરફાર થવાનો જ નથી તે। યમ– નિયમ વગેરે ક્રિયા કાંડા દ્વારા આત્માની સફાઇ કરવાની મહેનત કરવાની શી જરૂર છે ? ક્રિયાની આવશ્યકતા તેા મલીનને શુદ્ધ કરવા માટે હાય. વસ્ત્ર જો મલીન જ નથી, મલીન છે તેા શુદ્ધ થવાનું જ નથી. તેા ધાવાના પરિશ્રમ અને સાબુ-પાણી અને સમય કાણુ બગાડે ? તેમ સાંખ્યના કલ્પેલે આત્મા એકાંતે નિત્ય જ અને સદા શુદ્ધ મુક્ત જ છે તો પછી યમ-નિયમ વગેરે ધાર્મિક ક્રિયાઓની નિષ્ફળતા સિદ્ધ થાય છે, અને તેના મતે સુખી તે સદા સુખી, દુઃખી તે સદા દુઃખી, રાગી તે સદા રાગી, મૂર્ખ તે સદા મૂખ, પંડિત તે સદા પંડિત, રાય તે સદા રાય, રંક તે સદા રક, સ્ત્રી તે સદા સ્ત્રી, પુરુષ તે સદા પુરુષ, નિરાગી તે સદા નિરાગી. કારણ કે તેના માનેલા આત્મામાં કઇ ફેરફાર વિકાર થતે જ નથી.
જયારે જગતમાં વસ્તુસ્થિતિ સાંખ્યના સિદ્ધાંતથી તદ્ન વિરૂદ્ધ જોવામાં આવે છે. કે મૂર્ખ માનવી ભણવાના પુરૂષા કરે છે તેા પંડિત અને છે, ગરીબ ધન કમાવાના પુરૂષાથ કરે તો શ્રીમંત બને છે, રોગી આદમી નીરાગી થતા જણાય છે, કંજૂસ આદમી મહા ઉદાર થતે જણાય છે,
મહાદુરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org