________________
૨૪
શબ્દ ને કહેવાય છે. શબ્દને જ પ્રધાનતા આપતા હોવાથી.
આ દરેક નય સાચે તે જ કહેવાય જે પિતે ઇતરનાં સાપેક્ષ રહી સ્વવિષય ગ્રાહક હોય તો. આ સાતે ન ભેગા મળી સંપૂર્ણ વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન કરે છે. એકાંત પિતાના જ વિષયને સત્યમાની બીજા નનું ખંડન કરનાર કુનય કહેવાય છે. દરેક નયને પિતાનું વક્તવ્ય રજુ કરવાનો અધિકાર ભગવાન જિનેશ્વરોએ દીધો છે પણ બીજા નને માન્ય વિષયને તિરસ્કાર કે ખંડન કરવાનો અધિકાર આપે નથી.
નયાભાસનું લક્ષણ -
स्वाभिप्रायाद् अंशाद इतरांशपलापी पुन नंयाभासः ।
સ્વઈષ્ટ અંશને માન્ય રાખી બીજા નાના અભિપ્રાય અપલાપ કરનાર નયને નયાભાસ કહે છે. “ચાતું” શબ્દથી લાછિત નજ પ્રમાણભૂત છે.
“સ્યા’ શબ્દથી બીજ નાના વિષયની સાપેક્ષતા રહે છે. જ્યારે “સ્યાત” શબ્દથી રહિત એકાંત પ્રતિપાદન કરવામાં તે સાપેક્ષતા ઉડી જાય છે, તેથી સુનય પણું રહેતું નથી.
એકાંત ન ઉપર ભિન્ન ભિન્ન દર્શનોની ઉત્પત્તિ -. ન્યાય દોશેષિક દર્શન - નૈગમને માને છે તે પૃથ્વીત્વ, ઘટત્વ, સત્તા સામાન્યનું જગતમાં સ્વતંત્ર અસ્તિત્વ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org