________________
૨૩
એવંભૂત નયઃ
આ નયનું મંતવ્ય એવું છે કે જ્યારે શબ્દથી વાચ અર્થ (વસ્તુ) ક્રિયાશીલ હોય તે જ તે વસ્તુને તે શબ્દથી વ્યવહાર થઈ શકે. તે તે શબ્દની વ્યુત્પત્તિ મુજબ તે સમયે તે વસ્તુમાં ક્રિયા થતી હોય તે જ તેને સત્ તરીકે માને છે. સમભિરૂઢ નય તે માત્ર વ્યુત્પત્તિ ભિન્ન શબ્દથી વાચ્ય અર્થને માનતો નહોતો પણ આતો એથી પણ આગળ વધી કહે છે કે હું તો ભિન્ન વ્યુત્પત્તિ વચ્ચે વસ્તુ જ્યારે વર્તમાનમાં પોતાનું કાર્ય કરી રહી હોય ત્યારે જ હું સત્ માનું. અન્યથા વસ્તુ સત્ માનવામાં આવે તો મોટી આપત્તિ આવે. જેમકે શિક્ષક વર્તમાનમાં વિદ્યાર્થીઓને શિક્ષાદેઈ રહ્યો નથી, છતાં તેને શિક્ષક કહેવાય તો રસ્તામાં જતા મૂર્ખ મનુષ્યને પણ શિક્ષક કહેવામાં શું વાંધો છે? વર્તમાનમાં પિલો પણ શિક્ષકનું કાર્ય કરતો નથી અને આ પણ કરતે નથી તે બંને સમાન જ છે.
તેથી આ નય તીર્થકર દેશના આપી રહ્યા હોય ત્યારે જ આ નય તેમને તીર્થકર કહે, દેશના આપી દેવછંદામાં બિરાજમાન તીર્થકરને આ નય તીર્થકર ન માને. ઘરમાં દીપક જલતો ન હોય. વસ્તુઓનું દીપન કરતો ન હોય તો તેને દીપક આ નય ન કહે.
ઉપસંહાર:
પૂર્વ પૂર્વના ન કરતાં ઉતરેત્તર નયને વિષય સૂક્ષ્મ સૂક્ષ્મતર સ્મતમ છે. પ્રથમનાં ચાર નો અર્થન કહેવાય છે અર્થને જ પ્રધાન માનતા હોવાથી. જ્યારે પછીના ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org