________________
બનાવે છે આ નયને વિષય મુખ્ય વિશેષ છે. આ નયનું એવું મંતવ્ય છે કે સુવર્ણ સામાન્ય કટક કુંડાવિ વિશેષેથી પૃથ છે જ નહિ. જ્યાં જુઓ ત્યાં વિશેષ જ દષ્ટિગોચર થાય છે. સામાન્ય બિચારું તે કયાંયે કોઈને દષ્ટિગોચર થતું જ નથી અને કાર્ય સાધક પણ વિશેષ જ છે કેમકે કઈપણ ગળામાં કેવળ સેનાની લગડી નાંખતું નથી પણ હારજ નાખે છે. તેથી વ્યવહારોપયોગી વિશેષજ હોઈ સામાન્ય જેવી વસ્તુ આ નયની દૃષ્ટિમાં નથી.
જુસુત્ર નય:ઋજુ સુત્રને અર્થ શું છે?
ઋજુ – વર્તમાન સમયની વસ્તુ. સુત્ર – ગુંથવું – જાણવું. વર્તમાન સમયની વસ્તુને જ જે જાણે ગુંથે માને તે જુપુત્ર
આ નયનું મંતવ્ય એવું છે કે વર્તમાન વસ્તુ જ વિદ્યમાન છે ભૂતકાલીન કે ભવિષ્યકાલીન વસ્તુ વર્તમાનમાં મૌજુદ ન હોવાથી તેને સત્ કેવી રીતે માનવી?
જે વસ્તુ વર્તમાનમાં જ્ઞાનને સીધે વિષય બને, જ્ઞાનમાં સીધી દેખાય તે જ વસ્તુ સાચી મનાય. ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વસ્તુને જ્ઞાનમાં સીધે ભાસ થતો નથી. તેને સત્ કેમ મનાય? તેથી આ નય વર્તમાનકાલીન સ્વકીય વસ્તુને જ સત્ માને છે. ભૂતકાલીન, ભવિષ્યકાલીન અને પરકીય વસ્તુને અસત્ય માને છે. જે ધન નાશ થઈ ગયું અથવા વિદ્યમાન ધન પણ પારકું પિતાને શું કામ લાગવાનું?
પિતાની સ્ત્રી મરી ગઈ અને પડોશમાં પાડોશીની સ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW.