________________
૨૧
વિદ્યમાન છે તેથી ઓછું પિતાનું ઘર ચાલવાનું છે? તેથી નષ્ટ અનુત્પન્ન અને પરકીય વસ્તુને આ નય અસત્ માને છે.
વ્યવહાર નય જેમ સામાન્યને વ્યવહારોપયોગી ન હોવાથી સત્ માનતો નથી તેમ વ્યવહારનયને વિષયભૂત પરકીય, અતીત, અનાગત વસ્તુને પણ વ્યવહારોપયેગી ન હોવાથી આ નય પણ શા માટે સત્ માને ? પ્રજન સાધક નહિ હાવાથી અતીત, અનાગત, પરકીય વસ્તુ અસત્ છે. સતુ તે કે જે સ્વકીય અને સાંપ્રત કાલીન હોય.
શબ્દ નય :- શબ્દ નયની વ્યુત્પત્તિઃજ્ઞwતં-pયતેને 10 મિઠાનાર્થ: દુતિ ફા” |
શબ્દ દ્વારા જે નય પિતાને અભિપ્રાય વ્યક્ત કરે વસ્તુનું નિરૂપણ કરે તે શબ્દ નય. આ નય શબ્દથી વાચ્ચ વસ્તુને જ પ્રધાન રૂપે ગ્રહણ કરે છે પણ ઋજુસુત્રની જેમ હિંગ, વચન, કાયાદિ ભેદથી શબ્દને અભિન્ન ન માનતાં ભિન્ન માને છે. અને આજસુત્રની જેમ ચારે નિક્ષેપોને ન માનતાં માત્ર ભાવ નિક્ષેપાને જ સત્ માને છે. તેમજ પર્યાયભેદે અર્થભેદ માનતો નથી.
અનેક પર્યાથી વાચ્ય વસ્તુને એક જ માને છે. જેમ ઘટના પર્યાયવાચી કુટ, કુંભ કલશ વગેરે છે તે બધાને એકજ માને છે. પણ તે પર્યામાં પણ જે લીંગભેદ, કાળભેદ, કારકભેદ, સંખ્યાભેદ, પુરૂષભેદ કે ઉપસર્ગભેદ થયેલે માલુમ પડયે તો આ નય તેને ભિન્ન માને છે. જેમ લિંગભેદ તરફ, તરો, તર:
કાળભેદ-સુમેરૂ હતો, હશે અને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org